________________
જૈન સાહિત્યનાં પદો વિષે વિચારણા
આ કથામાં કોઈ પણ જાતના ઉપચાર વિના સીધું કથન જ છે. એમાં કથાને ઉચિત વરતું છે. જરા પણ આ ગયા વિના લબ્ધિવિયજીએ કથા કહી છે. ઈલાચીપુત્રને વૈરાગ એ મધ્યબિન્દુ છે. અહીં કથાનો દૃષ્ટાન્ત તરીકે ઉપયોગ થયો છે. આમાં ઊર્મિ નથી–સીધું કથન છે. મુનિ વખતસર આવી પહોંચ્યા અને પેલાને રાજા તરફ ઈર્ષા થવાને બદલે વૈરાગ આવ્યો એમાં વાર્તાની ખરી ચમત્કૃતિ રહેલી છે. આવી ઘણી કથાઓ સજજાયોમાં કહેવાઈ છે. જેમકે “મેતારનીમુનિની સજાય', “ અરણિકમુનિની સજજાય', ‘વયરમુનિની સજજાય”, “પશુકમુનિની સજજાય ” વગેરે. સજામાં ક્યારેક સીધો ઉપદેશ પણ આવતો.
કડવાં ફળ છે ક્રોધનાં જ્ઞાની એમ બોલે. રીસતણું રસ જાણુએ, હલાહલ તોલે. ક્રોધ કોડ પૂરવતણું સંય ફળ થાય, ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય.
( વિવિધ સ્તવનાદિ સમુચ્ચય ગ્રન્થ)
અથવા,
દષ્ટિરાગે નવ લાગીએ, વળી જાગીએ ચિત્તે માગીએ શીખ જ્ઞાન તણી, હવે ભાંગીએ નિત્ય જ્ઞાની ગુરુવચન રળિયામણું, કટુ તરસ લાગે દષ્ટિરાગે ભ્રમ ઊપજે, વધે જ્ઞાન ગુણ રાગે.
(પદસજજાયમાળા)
બીજા જેનપદના પ્રકારોમાં ‘ચિત્યવંદન ” અને “સ્નાત્રપૂજા” છે. આ બન્ને પ્રકારો મંદિરો જોડે સંકળાયેલા છે. ચિત્યનો અર્થ જૈનમંદિર એવો થાય છે. સામાન્ય રીતે ભક્તો દેવનાં દર્શન કરતી વખતે જે ગીતો કે સ્તુતિ બોલતાં તે ચૈત્યવંદન કહેવાય છે. એટલે સ્વાભાવિક રીતે એમાં મંદિરસ્થ દેવનું સંકીર્તન આવતું. ખીમાએ ચૈત્યવંદનામાં શત્રુંજય તીર્થમાહામ્ય ગાયું છે. જેમકે :
આરાધું સામિણી શારદા, જિમ મતિ વડી દિઈ મતિ અદા શ્રી શેત્રંજ તીરથ વંદેવિ, ચૈત્રપ્રવાડિ ચેઈ સશિ. પાલીતાણુઈ પ્રણમું પાશ, જિમ મનવાંછિત પૂરઈ આશ લલિતાસૂર વંદુ જિનવીર, સોઈ સાયર જિમ ગુહિર ગંભીર
આ પદમાં આરંભ શિરસ્તામુજબ શારદાની સ્તુતિથી કર્યો છે અને લાંબા કાવ્યમાં જે પ્રમાણેનો વિધિ હોય છે, તેવો વિધિ અહીં છે. અંતમાં તે કવિ મંદિરસ્થ દેવની જ પ્રશસ્તિ કરે છે. કવિ કહે છે:
એહ સ્વામી તુમ ગુણ જેટલા, મઈ કિમ બોલઈ તેતલા, તું ગુણ રયણાયર હોઈ એહ સંક્ષા નવ જણાઈ કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org