________________
ब्रह्म व्रतेषु व्रतम् શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન અને ધ્યાનમાં જેમ શુકલ યાન સૌથી શ્રેષ્ઠ છે, તેમ તપમાં બ્રહ્મચર્ય એ ઉત્તમોત્તમ તપ છે. પ્રશ્નવ્યાકરણુસૂત્રમાં કહ્યું છે કે – ફુલી મુળી સ સંગ ત વ મિવહૂ કો સુદ્ધ નરતિ વંમર અર્થાત જે શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરે છે તે જ ખરો ઋષિ છે, તે જ સાચો મુનિ છે, તે જ સાચો સંયમી છે, અને તે જ ખરો ભિક્ષુ છે.
બ્રહ્મચર્યનો જે વ્યુત્પત્તિથી અર્થ કરવામાં આવે તો ગ્રંક્ષણ નિતિ દ્રાવર્યમા અર્થાત આત્મામાં વિચારવું એનું નામ “બ્રહ્મચર્ય. પતંજલિ યોગસૂત્રમાં બ્રહ્મચર્ય વિષે લખતાં કહ્યું છે કે: દ્રવિર્ય પ્રતિષ્ઠાયાં વીર્યામી અર્થાત બ્રહ્મચર્યની દઢતા થવાથી અદ્ભુત વીરતાની પ્રાપ્તિ થાય છે.
બ્રહ્મચર્યના પાલનથી મગજમાં ઘણી જ બળવાન શક્તિનો સંચય થાય છે, અને તેની ઈચ્છાશક્તિ પણ અસાધારણ રીતે બળવાન થઈ જાય છે. બ્રહ્મચર્ય વગર માનસિક અને આધ્યાત્મિક બળ સંભવતું જ નથી. " આપણા મહાન આચાર્યો શ્રીસિદ્ધસેન દિવાકર, શ્રીહરિભદ્રસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રીયશોવિજયજી સૌ નૈદિક બ્રહ્મચારીઓ જ હતાં. સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ રમણ જેવા યોગી પુરુષો પોતાના જીવનકાળમાં જે મહાન કાર્યો કરી ગયા છે, તે બધાના મૂળમાં બ્રહ્મચર્યની જ શક્તિ હતી. આચાર્ય શ્રી વિનોબા ભાવેએ આ ઉંમરે ભારતમાં ભૂમિદાનરૂપી શ્રેષ્ઠ યજ્ઞ શરૂ કરી જગતની પ્રજાને શાંતિ અને સેવાનો એક નવો જ માર્ગ બતાવ્યો છે; આ મહાન કાર્યની પાછળ પણ તેમના નૈષ્ઠિક બ્રહ્મચર્યની શક્તિનો કાંઈ ઓછો હિરસો નથી.
શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન જ્યાં સુધી પાંચ ઈન્દ્રિયો, ક્રોધ-માન-માયા-લોભ તેમ જ સૌથી દુર્જય એવું પોતાનું મન ન જિતાય ત્યાં સુધી શક્ય નથી. શીલનો અર્થ આપણાં શાસ્ત્રોમાં માત્ર વીર્યનિરોધરૂપી સ્થલ બ્રહ્મચર્ય કરવામાં નથી આવ્યો, પરંતુ મન, વચન અને કાયાએ કરી ઇન્દ્રિયો પર યે મેળવી, તેમની દુકપ્રવૃત્તિમાંથી મુક્ત થવું એ જ શીલની શુદ્ધ વ્યાખ્યા છે. માત્ર ઈન્દ્રિયોના દમનથી બ્રહ્મચર્ય પાળવું એ શક્ય નથી. મહાત્મા ટોલસ્ટોયે આ બાબત પર પોતાના વિચારો દર્શાવતાં કહ્યું છે કે : “અન્ય સર્વ સદગુણોની પેઠે બ્રહ્મચર્ય પણ પાપ કરવાની શક્યતા કે અશક્તિ દ્વારા નહિ પણ ઈછાબળે અને શ્રદ્ધા સામર્થ્ય વડે સંપાદિત થાય ત્યારે કામનું છે. અકરાંતિયા ન થવા ખાતર માણસ જાતે જઠરમાં રોગ પેદા કરે, અગર લડાઈ ન કરવા ખાતર જાતે પોતાના હાથ બાંધે, અથવા અપશબ્દો વાપરવા જાતે પોતાની જીભ કાપી નાખે તો તે પાપ કર્યું ને કર્યું સરખું જ છે. ઈશ્વરે માનવીને
એ છે એવું બનાવ્યું છે, એના વિષયી દેહમાં દેવી આત્માનો સંચાર કર્યો છે, તે ઈશ્વરકૃતિને સુધારવા એ દેહને છેદીભેદીને પાંગળો બનાવે એટલા માટે નહિ, પણ એ આત્મા એની દૈહિક વિષયવાસનાને તાબે કરે એટલા ખાતર જ.'
- શુદ્ધ બ્રહ્મચર્યના પાલન માટે માણસ પાસે કોઈ વિશાળ કલ્પને હોવી જોઈએ, અને તેમાં જ સદૈવ ચિત્ત અને શરીરને ઓતપ્રોત કરી નાખવાં જોઈએ કે જેથી વિષયના મરણને અવકાશ જ ને રહે. વિશાળ ક૯૫ના રાખતાં બ્રહ્મચર્યનું પાલન સહજ બની જાય છે. પ્રસિદ્ધ રસાયનશાસ્ત્રી જૉન ડૉટનના વિષે એમ કહેવાય છે કે તેમની વૃદ્ધાવસ્થામાં કોઈએ તેમને અવિવાહિત રહેવાનું કારણ પૂછયું. તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org