Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪ - પ્રવચન નવનીત: ભાગ-૨ મોક્ષ; એ પણ પર્યાય છે. એ ક્ષાયિકભાવ, પંચમ પારિણામિકભાવ (રૂપ ) દ્રવ્યની એક પર્યાય છે. એ પર્યાયને પણ અહીં પરદ્રવ્ય કહ્યું છે. જિજ્ઞાસાઃ આવું ઝીણું સમજીને ધર્મ થાય ? સમાધાનઃ એ (સમજ્યા ) વિના, તત્ત્વ પકડવામાં આવે નહીં. ભગવાન! તું કેવી ચીજ છે!! અંદર આનંદદળ છે. એ તો અતીન્દ્રિય આનંદનું દળ છે! (જેમ ) સક્કરકંદ [છે તો એ કંદમૂળ. અનંત જીવ છે. ] એને અમારે ત્યાં શક્કરિયા કહે છે. એની ઉપરની જે લાલ છાલ છે એને ન જુઓ, તો એનું જે આખું દળ છે તે તો સાકરનો પિંડ છે; સાકરની મીઠાશનો પિંડ છે. તેમ ભગવાનઆત્મા, એમાં જે પુણ્ય ને પાપ, દયા ને દાનના વિકલ્પ છે તે તો ઉ૫૨ની છાલ છે. એ છાલની પાછળ અંદર જુઓ તો એ જેમ (શક્કરિયા ) સાકરનો પિંડ છે તેમ આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે! એ અતીન્દ્રિય આનંદનો પિંડ છે સ્વદ્રવ્ય. એ સિવાય બીજી કોઈ પણ પર્યાય-ક્ષાયિકભાવની પર્યાય હોય, ચોથે-પાંચમે–છઠ્ઠે ( ગુણસ્થાને ) ક્ષાયિકસમકિત હોય, –એને તો અહીં બાહ્યતત્ત્વમાં નાખી છે. કેમ કે એનો આશ્રય કરવાથી લાભ થતો નથી. (જોકે પર્યાય અપેક્ષાએ તો) તે છે તો લાભરૂપ, પણ એનો આશ્રય કરવાથી પર્યાય (માં ) વિકલ્પ ઉત્પન્ન થાય છે, (તે ધર્મ નથી; ધર્મનું કારણ તો સ્વદ્રવ્ય છે). સમજાણું કાંઈ ? અહીંયાં કહે છે: “ જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ ”–પર્યાયોનો સમૂહ હોં! પુણ્ય-પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ–એ પર્યાયોનો સમૂહ “પદ્રવ્ય હોવાને લીધે (ખરેખર ઉપાદેય નથી ).” આહા... હા! આ વાત સર્વજ્ઞ ૫રમાત્માની દિવ્યધ્વનિમાં આવી (છે)! (ધર્મ) સભામાં એકાવતારી ઇન્દ્રો બેઠા હતા. શક્રેન્દ્ર એકાવતારી છે. એકભવે મોક્ષ જવાવાળા છે. સૌધર્મ એકભવતારી છે, જેનો ( આ ) છેલ્લો ભવ (છે) પછી મનુષ્ય થઈને મોક્ષ જશે. એની પત્ની ( ઇન્દ્રાણી ) પણ એકભવતારી છે. સંતો-ગણધરો હતા. એ સભામાં ભગવાનની વાણીમાં આ આવ્યુંઃ પ્રભુ! તું કોણ છો? તું પર્યાય જેવડો છો? તું રાગ જેટલો છો? પર્યાયને તો વ્યવહા૨આત્મા કહેવામાં આવે છે (એ પરદ્રવ્ય છે; સ્વદ્રવ્ય નથી.) , આહા... હા ! ( ‘ સમયસાર') ૧૧મી ગાથામાં કહ્યું: “ વ્યવહારોમૂયો ” પર્યાયમાત્ર અભૂતાર્થ છે, અસત્ય (જૂઠી ) છે. કઈ અપેક્ષાએ ? કેઃ મુખ્ય-ધ્રુવની દૃષ્ટિ કરાવવા માટે મુખ્યને નિશ્ચય કહ્યો. પર્યાય છે તો ખરી. પણ ( એને ) ગૌણ કહીને, વ્યવહા૨ કહીને ‘નથી ’ એમ કહ્યું. એ પર્યાય ) નથી, એમ નથી. પણ ( એને ) ગૌણ કરીને, વ્યવહાર કહીને ‘અભૂતાર્થ’ કહી છે. આહા... હા! એ વાત અહીં લીધી છે કેઃ જેટલી પર્યાય છે (એ) વ્યવહા૨ (છે ), અભૂતાર્થ (છે ); એ બધી ‘૫૨દ્રવ્ય ’ છે. C ‘૫૨દ્રવ્ય હોવાને લીધે ” કારણ આપ્યું (કેઃ ) · ઉપાદેય કેમ નથી ? પાઠમાં તો ‘હેયર્’ (શબ્દ) છે- ‘ વૃત્તિĒ àય' પણ (એનો ) અર્થ એવો કર્યો કે: “ જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ ૫૨દ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.” પાઠમાં ‘દેયં’ છે. પણ ‘હૈય છે' એનો હેતુ બતાવવો છે કેઃ ‘એ ઉપાદેય નથી, ’· એ આશ્રય કરવા લાયક નથી'; એ કા૨ણે ‘હેય ' નો અર્થ ‘ ઉપાદેય નથી ' એમ કર્યો. સમજાણું કાંઈ ? “ જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ ૫૨દ્રવ્ય હોવાને લીધે ” –અહીં તો ક્ષાયિક-નિર્મળપર્યાયને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 320