________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ - પ્રવચન નવનીત: ભાગ-૨
મોક્ષ; એ પણ પર્યાય છે. એ ક્ષાયિકભાવ, પંચમ પારિણામિકભાવ (રૂપ ) દ્રવ્યની એક પર્યાય છે. એ પર્યાયને પણ અહીં પરદ્રવ્ય કહ્યું છે.
જિજ્ઞાસાઃ આવું ઝીણું સમજીને ધર્મ થાય ?
સમાધાનઃ એ (સમજ્યા ) વિના, તત્ત્વ પકડવામાં આવે નહીં. ભગવાન! તું કેવી ચીજ છે!! અંદર આનંદદળ છે. એ તો અતીન્દ્રિય આનંદનું દળ છે! (જેમ ) સક્કરકંદ [છે તો એ કંદમૂળ. અનંત જીવ છે. ] એને અમારે ત્યાં શક્કરિયા કહે છે. એની ઉપરની જે લાલ છાલ છે એને ન જુઓ, તો એનું જે આખું દળ છે તે તો સાકરનો પિંડ છે; સાકરની મીઠાશનો પિંડ છે. તેમ ભગવાનઆત્મા, એમાં જે પુણ્ય ને પાપ, દયા ને દાનના વિકલ્પ છે તે તો ઉ૫૨ની છાલ છે. એ છાલની પાછળ અંદર જુઓ તો એ જેમ (શક્કરિયા ) સાકરનો પિંડ છે તેમ આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે! એ અતીન્દ્રિય આનંદનો પિંડ છે સ્વદ્રવ્ય. એ સિવાય બીજી કોઈ પણ પર્યાય-ક્ષાયિકભાવની પર્યાય હોય, ચોથે-પાંચમે–છઠ્ઠે ( ગુણસ્થાને ) ક્ષાયિકસમકિત હોય, –એને તો અહીં બાહ્યતત્ત્વમાં નાખી છે. કેમ કે એનો આશ્રય કરવાથી લાભ થતો નથી. (જોકે પર્યાય અપેક્ષાએ તો) તે છે તો લાભરૂપ, પણ એનો આશ્રય કરવાથી પર્યાય (માં ) વિકલ્પ ઉત્પન્ન થાય છે, (તે ધર્મ નથી; ધર્મનું કારણ તો સ્વદ્રવ્ય છે). સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે: “ જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ ”–પર્યાયોનો સમૂહ હોં! પુણ્ય-પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ–એ પર્યાયોનો સમૂહ “પદ્રવ્ય હોવાને લીધે (ખરેખર ઉપાદેય નથી ).” આહા... હા!
આ વાત સર્વજ્ઞ ૫રમાત્માની દિવ્યધ્વનિમાં આવી (છે)! (ધર્મ) સભામાં એકાવતારી ઇન્દ્રો બેઠા હતા. શક્રેન્દ્ર એકાવતારી છે. એકભવે મોક્ષ જવાવાળા છે. સૌધર્મ એકભવતારી છે, જેનો ( આ ) છેલ્લો ભવ (છે) પછી મનુષ્ય થઈને મોક્ષ જશે. એની પત્ની ( ઇન્દ્રાણી ) પણ એકભવતારી છે. સંતો-ગણધરો હતા. એ સભામાં ભગવાનની વાણીમાં આ આવ્યુંઃ પ્રભુ! તું કોણ છો? તું પર્યાય જેવડો છો? તું રાગ જેટલો છો? પર્યાયને તો વ્યવહા૨આત્મા કહેવામાં આવે છે (એ પરદ્રવ્ય છે; સ્વદ્રવ્ય નથી.)
,
આહા... હા ! ( ‘ સમયસાર') ૧૧મી ગાથામાં કહ્યું: “ વ્યવહારોમૂયો ” પર્યાયમાત્ર અભૂતાર્થ છે, અસત્ય (જૂઠી ) છે. કઈ અપેક્ષાએ ? કેઃ મુખ્ય-ધ્રુવની દૃષ્ટિ કરાવવા માટે મુખ્યને નિશ્ચય કહ્યો. પર્યાય છે તો ખરી. પણ ( એને ) ગૌણ કહીને, વ્યવહા૨ કહીને ‘નથી ’ એમ કહ્યું. એ પર્યાય ) નથી, એમ નથી. પણ ( એને ) ગૌણ કરીને, વ્યવહાર કહીને ‘અભૂતાર્થ’ કહી છે. આહા... હા! એ વાત અહીં લીધી છે કેઃ જેટલી પર્યાય છે (એ) વ્યવહા૨ (છે ), અભૂતાર્થ (છે ); એ બધી ‘૫૨દ્રવ્ય ’ છે.
C
‘૫૨દ્રવ્ય હોવાને લીધે ” કારણ આપ્યું (કેઃ ) · ઉપાદેય કેમ નથી ? પાઠમાં તો ‘હેયર્’ (શબ્દ) છે- ‘ વૃત્તિĒ àય' પણ (એનો ) અર્થ એવો કર્યો કે: “ જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ ૫૨દ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.” પાઠમાં ‘દેયં’ છે. પણ ‘હૈય છે' એનો હેતુ બતાવવો છે કેઃ ‘એ ઉપાદેય નથી, ’· એ આશ્રય કરવા લાયક નથી'; એ કા૨ણે ‘હેય ' નો અર્થ ‘ ઉપાદેય નથી ' એમ કર્યો. સમજાણું કાંઈ ?
“ જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ ૫૨દ્રવ્ય હોવાને લીધે ” –અહીં તો ક્ષાયિક-નિર્મળપર્યાયને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com