________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ – ૩ ન.” –આ (દોહરો) સમયસાર નાટક' નો છે. “ઘટ ઘટ અંતર જિન બર્સ” –આત્મા જિનસ્વરૂપી જ છે, ત્રિકાળી વીતરાગ અકષાયમૂર્તિ પ્રભુ છે! એ પરમપરિણામિકભાવ કહો, જ્ઞાયકભાવ કહો, ધ્રુવભાવ કહો, સામાન્યભાવ કહો, એકરૂપભાવ કહો-એને અહીંયાં “શુદ્ધભાવ” કહેવામાં આવે છે. એનાથી આ જીવાદિ બાહ્યતત્ત્વ હેય (છે), ભિન્ન છે.
આહા... હા! નિમિત્ત તો ય છે જ; કેમકે, તે પરદ્રવ્ય છે. પરદ્રવ્ય તો ક્યારેય પોતાને (આત્માને) સ્પર્યું નથી. અને પોતાની પર્યાય, પરદ્રવ્યને ક્યારેય સ્પર્શી નથી. પણ એને પર્યાયમાં સ્પર્શ છે (જે) રાગાદિભાવ, વિકાર, વ્યવહારરત્નત્રયનો વિકલ્પ, તે અશુદ્ધભાવમાં જાય છે. એ પણ બાહ્યતત્ત્વ (છે).
ભગવાન (આત્મા) પૂર્ણાનંદનો નાથ જિન પ્રભુ! “ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન” -જે પર્ણસ્વરૂપ અંતરમાં છે! એ સ્વભાવના આશ્રયે, એનો અનુભવ થયો, એના આશ્રયથી પર્યાય વીતરાગ થઈ એ જૈનપણું! એ જૈનપણું પણ પર્યાય છે. (છતાં) એને (એ પર્યાય ) અહીં જીવાદિ બાહ્યતત્ત્વ અને હેય કહેવામાં આવી છે. આહા... હા! સમજાય છે કાંઈ ?
જીવાદિ' –એની પર્યાય-ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક, એ “જીવપર્યાય. અજીવ-કર્મ આદિ, શરીર આદિ. પુણ્ય-પાપ-આસ્વ. બંધ-રાગ-કર્મરૂપ. અને સંવર, નિર્જરા ને મોક્ષ. –એ બધાં જીવાદિ તત્ત્વ. અહીં પુણ્ય-પાપને જુદાં નથી પાડ્યાં, આસ્રવમાં નાખ્યાં છે. માટે “જીવાદિ (સાત) તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે –આહા.... હા ! એ તો પરદ્રવ્ય છે; સ્વદ્રવ્ય નથી!
આહા... હા! આ કથની તો જુઓ! વીતરાગી સંત સિવાય, આ વાત ક્યાંય નથી. એ અંતરની વાત છે! અહીં તો હજી સમ્યગ્દર્શન વિના, અનુભવ વિનાના વ્રત ને તપ-વ્યવહાર રત્નત્રય, એ સાધન છે; અને એનાથી નિશ્ચય સાધ્ય થાય છે (-એમ લોકો ભ્રમથી માને છે!) શાસ્ત્રમાં આવે (પણ) છેઃ “ભિન્ન સાધ્ય-સાધન.” –એ તો સમજવાની ચીજ કહી, નિમિત્તનું જ્ઞાન કરાવ્યું કે ત્યાં કેવો ભાવ હતો.
અરે પ્રભુ! અહીં તો કહે છે કે ક્ષાયિકસમકિત હોય અને કેવળજ્ઞાન હોય, મોક્ષતત્ત્વની પર્યાય ક્ષાયિકભાવે હોય-એ પણ જીવાદિ તત્ત્વ, પરદ્રવ્યમાં જાય છે. આહા... હા !
જીવાદિ સાત તત્ત્વોનો સમૂઠ પરદ્રવ્ય હોવાને લીધે” આા... હા ! ઘણે ઠેકાણે આવે છે. ચારપાંચ ઠેકાણે છે. (જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ) એ તો પરદ્રવ્ય છે! કેમ કે એમાંથી નવી પર્યાય ઉત્પન્ન થતી નથી. જેમ પરદ્રવ્યમાંથી પોતાની વીતરાગી-નિર્મળપર્યાય પ્રગટ ન થાય, તેમ પર્યાયમાંથી (પણ) નિર્મળપર્યાય પ્રગટ ન થાય; તેથી એ પર્યાયને અહીં પરદ્રવ્ય કહેવામાં આવી
–શું કહ્યું? ફરીથી: જેમ પોતાના દ્રવ્ય સિવાય, પરદ્રવ્યથી કોઈ પોતાની નિર્મળપર્યાય ઉત્પન્ન થતી નથી, કારણ કે પરદ્રવ્ય ભિન્ન છે; એમ પોતાની નિર્મળપર્યાયમાંથી નવી નિર્મળપર્યાય ઉત્પન્ન થતી નથી, અને એના પર્યાયના) આશ્રયથી ઉત્પન્ન થતી નથી. આહા.... હા! સમજાણું કાંઈ? નિશ્ચયમોક્ષમાર્ગની પર્યાય, નિર્વિકલ્પ વીતરાગીપર્યાય, આ તો “ઉપાય અને એનું “ઉપય'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com