Book Title: Dhyey Siddhi
Author(s): Gokulbhai C Shah
Publisher: Sahajatmaswarup Paramguru Trust

View full book text
Previous | Next

Page 643
________________ ૬૨૦ ત્રણ મંત્રની માળા આધીન થઈને વર્તે છે અને તેવા ‘ભાવ’ કરે છે. હવે તેના એવા વર્તન પાછળ તમે તમારા ભાવ શું કામ બગાડો છો ? તમારે ભાવ બગાડવાની કોઈ જરૂર નથી. તમારે આત્માની શાંતિ જોઈએ છે તો બધાના વિકલ્પ છોડી દો, પછી તે ઘરવાળા હોય કે દેહ હોય; દેહને પણ શાતા-અશાતાના ઉદય આવે છે. એ ઉદય તમે કર્મ બાંધ્યા છે માટે આવ્યા છે, કોઈએ મોકલ્યા નથી. તો એને સમતાભાવે ભોગવી લો. સમતાભાવે નહીં ભોગવો અને હાયવોય કે આકુળતા-વ્યાકુળતા કરશો તોય કંઈ વેદના ઘટવાની નથી અને શાંતભાવથી વેદશો તો વેદના કંઈ વધી જવાની નથી. એ તો એના ઉદય પ્રમાણે રહેવાની છે. જો તમારે શાંતિ જોઈતી હોય તો દુનિયાની કોઈપણ બાબતમાં માથું મારવાનું તમે છોડી દો. અશાંતિ થાય છે તેનું કારણ એ કે તમે તમારા સ્વરૂપનો આશ્રય છોડીને બીજાના વિકલ્પમાં પડ્યા. પછી અશાંતિ ના થાય તો આશ્ચર્ય. અશાંતિ થાય એમાં આશ્ચર્ય શું ? માટે મંત્રનું બળ વધારો. હાલતા-ચાલતા મંત્રનું સ્મરણ કરો. જેમ ગારુડી વિષને ઉતારે છે તેમ આ મંત્ર મિથ્યાત્વરૂપી ઝેરને ઉતારનારો છે, ચૌદ પૂર્વનો સાર છે. પિસ્તાલીસ આગમ અને બધાય શાસ્ત્રો વાંચે તો એના સારરૂપે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' છે. આ બધાયનો સાર આટલો જ છે. પણ તેને ધ્યાનમાં જાપ દ્વારા પદ્ધતિસર કરશો તો એનાથી ઘણો લાભ થશે. તો એ જાપ કરતી વખતે આસનની સ્થિરતા, દૃષ્ટિબંધ, મેરુદંડ સીધો, ધીમા-ધીમા શ્વાસોચ્છ્વાસ, જીભને તાળવા ઉપર અડાડેલી રાખવાની, મંત્રનો ભાવાર્થ સમજવાનો, મંત્રમાં અને મંત્રના આપનાર ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવાની. વારંવાર મંત્ર બદલવો એ પણ ચંચળતાનું કારણ છે, એમાં કોઈ લાભ ના થાય. આ મંત્ર એવો છે કે બધાય મંત્રોનો સાર છે. પાંચ પરમગુરુ એટલે નવકારમંત્રનો સાર થઈ ગયો. ‘સોહમ્’ એટલે ‘જે પરમાત્મા તે જ હું’ અથવા જે ‘સહજાત્મસ્વરૂપ તે જ હું’. આ મંત્રમાં સોહમ્ મંત્રનો પણ સાર આવી ગયો. નિશ્ચયથી મારું સહજાત્મસ્વરૂપ તે જ મારા પરમગુરુ છે. આત્માનો ગુરુ આત્મા જ છે. વ્યવહારથી પંચપરમેષ્ઠિ ભગવાન છે. એટલે પરમકૃપાળુદેવે કહ્યું કે, આત્મા જેવો કોઈ દેવ નથી. આત્મા જેવો કોઈ ગુરુ નથી. આત્મા જેવો કોઈ ધર્મ પણ નથી. આત્મા જેવો કોઈ દાતા પણ નથી. આ જગતમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને મોક્ષનું દાન કરનાર તમારો આત્મા છે અને તમે તેની જ સામે નથી જોતા !! તમારું એણે શું બગાડ્યું છે એ મને કહો તો ખરા! બધાયની સામે જુઓ છો અને એના સામે જ નથી જોતા ! પરમગુરુ પરમાત્મા જેવો જ હું સહજાત્મસ્વરૂપી આત્મા છું, એ આ મંત્રનો વ્યવહાર અર્થ છે અને મારું સહજાત્મસ્વરૂપ એ જ મારો પરમગુરુ છે તથા એ સહજાત્મસ્વરૂપના આશ્રયે

Loading...

Page Navigation
1 ... 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700