________________
અષ્ટક પ્રકરણ
૨૮૦
૨પ-પુણ્યાનુબંધિપુણ્ય અષ્ટક
(=ચઢતી) જુએ ત્યાં (દેખાવથી) માયાવી થાય.” કારણ કે આ પ્રમાણે ધર્મની આરાધના જ સર્વ જીવોને હિતકર છે. કપટથી તે તે રીતે દુઃસ્વપ્ન (મને ખરાબ સ્વપ્ન આવ્યું હોવાથી મારું મૃત્યુ નજીક છે.) આદિ કહીને રજા મેળવીને ધર્મારાધના પ્રાપ્ત કરે.
માતા-પિતા કોઇપણ રીતે રજા ન આપે તો રજા વિના પણ દીક્ષા લે.
આમ કરવા છતાં કોઇપણ રીતે રજા નહિ આપતા માતા-પિતાદિનો અસ્થાને રહેલા ગ્લાનને ઔષધ લેવા જવા માટે છોડવાના દૃષ્ટાંતથી ત્યાગ કરે.
ગ્લાન ઔષધનું દષ્ટાંત તે દૃષ્ટાંત આ પ્રમાણે છે- માતા-પિતા પ્રત્યે રાગવાળો કોઈ પુરુષ કોઇ કારણસર માતા-પિતા સાથે જંગલમાં ગયો હોય, ત્યાં માતા-પિતાને જલદી અવશ્ય મરણ નિપજાવનાર મહાન રોગ થાય, તે રોગ માત્ર તે પુરુષથી દૂર કરી શકાય તેવો ન હોય, કિંતુ ઔષધિથી કદાચ દૂર થાય તેવો હોય, આ વખતે ઔષધ વિના માતાપિતા અવશ્ય જીવી શકે તેમ નથી, ઔષધથી કદાચ બચી જાય. થોડો સમય ઔષધ વિના પણ જીવી શકે તેમ છે એમ વિચારીને તે પુરુષ માતા-પિતા પ્રત્યેના રાગથી ભોજન-આચ્છાદન આદિની સારી રીતે વ્યવસ્થા કરીને, માતા-પિતાને ત્યાં મૂકીને માતા-પિતાના રોગનું ઔષધ લેવા જવા માટે અને પોતાની આજીવિકા નિમિત્તે માતાપિતાનો ત્યાગ કરે તો તે પુરુષ સારો છે. કારણ કે ફરી સંયોગ થવાનો હોવાથી પરમાર્થથી આ ત્યાગ ત્યાગ નથી, કિંતુ ત્યાગ ન કરવો એ જ ત્યાગ છે. કારણ કે મૃત્યુ થવાથી વિયોગ થાય. અહીં પંડિતો ફલને પ્રધાન માને છે. ધીરપુરુષો નિપુણબુદ્ધિથી ફલને જુએ છે. તે પુરુષ ઔષધ મેળવીને માતા-પિતાને જીવાડે એવો સંભવ હોવાથી આ પ્રમાણે ત્યાગ કરવો એ પુરુષને ઉચિત છે.
દૃષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે માતા-પિતા પ્રત્યે ધર્મના રાગવાળો શુક્લપાક્ષિક મહાપુરુષ માતા-પિતા સાથે સંસારરૂપ જંગલમાં જાય, માતા-પિતાને સંસારૂપ જંગલમાં નિયમો વિનાશ કરનાર, બોધિબીજ આદિથી રહિત સામાન્ય પુરુષથી દૂર ન કરી શકાય તેવો, મરણાદિ વિપાકવાળો, ક્લિષ્ટ કર્મરૂપ રોગ થાય અને કદાચ સમ્યકત્વાદિરૂપ ઔષધિથી એ રોગ દૂર થાય તેવો હોય, આ વખતે ધર્મરાગથી તે મહાપુરુષ આ પ્રમાણે વિચારે-સમ્યકત્વાદિરૂપ ઔષધ વિના માતા-પિતાદિ અવશ્ય વિનાશ પામશે. સમ્યકત્વાદિ ઔષધથી કદાચ બચી જાય, થોડો સમય જીવી શકે તેવા છે. આમ વિચારીને માતા-પિતાને સંતોષ થાય તે રીતે તેમની આ લોકની ચિંતા કરીને (=નિર્વાહનું
માયાથી દુષ્ટ સ્વપ્ન વગેરે કહેવું. એટલે કે ગધેડા-ઊંટ-પાડા વગેરે ઉપર બેઠેલો હતો વગેરે અનિષ્ટ સૂચક દશ્ય મેં સ્વપ્નમાં જોયું. તથા મેં મારી બે આંખોની મધ્યનો ભાગ જોયો, દેવીઓનું ટોળું જોયું. વગેરે મનુષ્યથી ન દેખી શકાય તેવું વિપરીત દેખાણું, ઇત્યાદિ કપટથી (હવે મારું આયુષ્ય અલ્પ છે વગેરે) માતાપિતાને જણાવવું. વળી પ્રકૃતિ વિપરીત કરવી, અર્થાત્ બહારથી મરણનાં ચિહ્નો બતાવવાં. આ બધું કરવાથી “હવે આનું મરણ નજીકમાં છે.” એમ સમજીને માતા-પિતા વગેરે રજા આપે. છતાં રજા ન આપે તો જ્યોતિષીઓ દ્વારા “આવી અમુક ચેષ્ટાઓ થાય ત્યારે મરણ નજીકમાં થાય.” એમ
વિપરીત ચેષ્ટાઓનાં ફળો જણાવવાં. ૨. અહીં માતા-પિતાનો ઉલ્લેખ પત્ની આદિના ઉપલક્ષણરૂપ છે. તેથી પત્ની વગેરે પણ સમજવું.