________________
૪૧૭
પ૩૮–ચેથી સૂત્રરૂચિ, તે આગમસૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા, એ પંચાંગીના વચન માને, આગમસૂત્ર ભણવાની ચાહના રાખે, તે સૂત્રરૂચિ જાણવી.
પ૩૯-પાંચમી શ્રદ્ધારૂચિ, તે ભગવતી તથા નંદીસૂત્રમાં આ પ્રમાણે ગાથા છે. सुत्तत्था खलु पढमा, बीओ णिज्जुत्ति-मिस्सओ भणिओ। तइओ अ णिरवसेसो, एस विद्दी होइ अणुओगे ॥ १ ॥
તથા અનુગદ્વારસૂત્રમાં નિર્યુક્તિ અનુગમ કહે છે,
તથા સમવાયાંગમાં “નિષ્કુત્તિ” ઈત્યાદિક ઘણું સાખે છે,
તે માટે જે પુરૂષ પંચાંગી માને તે આરાધક છે, તેથી પંચાંગીની શ્રદ્ધા રાખવી તે શ્રદ્ધારૂચિ જાણવી. - ૫૪૦-છઠ્ઠી અભિગમરૂચિ, તે સૂત્ર, સિદ્ધાંત અર્થ સહિત જાણે, તથા અર્થ વિચાર સુણવાની, ભણવાની જેને ઘણું ચાહના હોય, તેને અભિગમરૂચિ જાણવી.
૫૪૧–સાતમી વિસ્તારરૂચિ, તે છ દ્રવ્યને જાણે, છ દ્રવ્યના પ્રદેશ જાણે, ગુણ જાણે, પર્યાય જાણે,
નામ-ક્ષેત્ર, કાલ-ભાવ, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉત્પાદ -વ્યય-ધ્રુવ, સાત નય, ચારનિક્ષેપા, છ કારક, પ્રમાણ, પાંચ સમવાય, દ્રવ્યાસ્તિક દશ નય, પર્યાયાસ્તિક છ નય,