Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૪૫
પરંપરસિદ્ધોના બે પ્રકાર
આમ અનંતરસિદ્ધોને ૮ ધારો વડે ૧૫ કારોમાં વિચાર્યા. •નવ અનુયોગદ્વારો વડે પરંપરસિદ્ધોની વિચારણા -
જેમ અનંતરસિદ્ધોને ૮ દ્વારો વડે ૧૫ લારોમાં વિચાર્યા તેમ પરંપરસિદ્ધોને ૮ દ્વારો વડે ૧૫ લારોમાં વિચારવા.
પરંપરસિદ્ધો બે પ્રકારના છે - ૧) ઉત્પદ્યમાનક પરંપરસિદ્ધ અને ૨) પૂર્વોત્પન્ન પરંપરસિદ્ધ.
૧) ઉત્પદ્યમાનક પરંપરસિદ્ધ - ૨ થી ૮ સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા અને ઉત્પદ્યમાનકનયની અપેક્ષાએ થયેલા પરંપરસિદ્ધો તે ઉત્પદ્યમાનકપરંપરસિદ્ધો. જેમ અનંતરસિદ્ધોને ૮ દ્વારો વડે ૧૫ દ્વારોમાં વિચાર્યા તે જ રીતે ઉત્પદ્યમાનકપરંપરસિદ્ધોની ૮ દ્વારો વડે ૧૫ દ્વારોમાં વિચારણા જાણવી.
૨) પૂર્વોત્પનપરંપરસિદ્ધ - ૮ સમય પછી અવશ્ય સિદ્ધ થવાની ક્રિયાનો વિચ્છેદ થવાથી તે પૂર્વે થયેલા અને પરંપરપૂર્વોત્પન્નનયની અપેક્ષાએ થયેલા પરંપર સિદ્ધો તે પૂર્વોત્પન્નપરંપરસિદ્ધ.
પૂર્વોત્પન્નપરંપરસિદ્ધોને ૮ દ્વારો વડે ૧૫ દ્વારોમાં વિચારવાના છે. તે આ પ્રમાણે - | (i) સત્પદપ્રરૂપણા - બધા દ્વારોમાં અનંતરસિદ્ધોની જેમ. ii) દ્રવ્યપ્રમાણ - અનંતરસિદ્ધો સંખ્યાતા હતા. પરંપરસિદ્ધો અનંતા
(iii) ક્ષેત્ર - બધા દ્વારોમાં અનંતરસિદ્ધોની જેમ. () સ્પર્શના - બધા કારોમાં અનંતરસિદ્ધોની જેમ.
(V) કાળ - અનંતરસિદ્ધોનો કાળ ૮ સમય હતો. પરંપરસિદ્ધોનો કાળ અનાદિ અનંત છે.