Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
શ્રીદેવેન્દ્રસૂરિવિરચિત ( શ્રીસિદ્ધપંચાશિકા અજ્ઞાતકર્તક અવચૂરિ સહિત
પદાર્થસંગ્રહ શ્રીદેવેન્દ્રસૂરિજીએ શ્રીસિદ્ધપ્રાભૃતમાંથી ઉદ્ધાર કરીને શ્રીસિદ્ધપંચાશિકાની રચના કરી છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ બન્નેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે.
સિદ્ધો બે પ્રકારના છે –
૧) અનંતરસિદ્ધ - સિદ્ધપણાના પહેલા સમયે રહેલા સિદ્ધો તે અનંતરસિદ્ધ.
૨) પરંપરસિદ્ધ - વિક્ષિત સિદ્ધપણાના પહેલા સમયની પૂર્વે બીજા વગેરે સમયોમાં અનંત ભૂતકાળ સુધી રહેલા સિદ્ધો તે પરંપરસિદ્ધ.
(1) અનંતરસિદ્ધોને ૮ દ્વારો વડે ૧૫ કારોમાં વિચારવાના છે. (I) પરંપરસિદ્ધોને ૯ દ્વારો વડે ૧૫ દ્વારોમાં વિચારવાના છે. • ૮ દ્વારા આ પ્રમાણે છે – ૧) સત્પદપ્રરૂપણા
૨) દ્રવ્યપ્રમાણ ૩) ક્ષેત્ર
૪) સ્પર્શના ૫) કાળ
૬) અંતર ૭) ભાવ
૮) અલ્પબદુત્વ • ૯ દ્વારા આ પ્રમાણે છે –
ઉપરના ૮ અને (૯) સંનિકર્ષ – વિવક્ષિત કોઈ એકને આશ્રયીને વિવક્ષિત બીજાનું થોડાપણું કે ઘણાપણું વિચારવું તે.
૦ ૧૫ દ્વારા આ પ્રમાણે છે -