SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ વાંઢ મારે હાવાહી અધિક ચતુર્દશીને લેખક જેમ ચતુર્દશી. બીજી ચતુર્દશીએ ૪૧૬ શ્રી કલ્પસત્રવાતા નથી.) વલી માટે મારે ત્યા' ઇત્યાદિ, સૂર્યાચારને વિષે પણ તેમજ કહેવાય છે. લેકમાં પણ દીવાલી, અક્ષયતૃતીયા આદિ પર્વને વિષે તેમજ વ્યાજ ગણવા આદિને વિષે અધિક માસ ગણાતા નથી, તે પણ તું જાણે છે. વળી સર્વે શુભ કાર્યો અધિક માસ નપુંસક છે તેથી, તેમાં ન કરવાં એમ કહીને ન્યાતિશાસ્ત્રમાં તેને નિષેધ કરે છે. વળી બીજે માસ અધિક હોય તેની વાત તે બાજુ પર રહે, પણ જે ભાદરે માસ અધિક હોય તો પણ પહેલો ભાદરે અપ્રમાણુજ છે (એટલે બીજા ભાદ્રપદમાં સંવાસરીપર્વે કરવામાં આવે છે.) જેમ ચતુર્દશી. અધિક હોય તે પહેલી ચતુર્દશીને લેખામાં નહીં ગણીને બીજી ચતુર્દશીએ પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે, તેમ અહીં પણ જાણવું. વલી જે એમ હોય તે “અપ્રમાણ ( અધિક ) માસમાં દેવપૂજા, મુનિદાન અને આવશ્યક આદિ કાય પણ ન કરવા જોઈએ” એમ કહીને તારા અધણને ચપલ ન કર; કારણ કે દિનપ્રતિબદ્ધ દેવપૂજા, મુનિદાન વિગેરે કૃત્ય છે તે તે હમેશાં કરવાં જ જોઈએ અને જે સધ્યા આદિ સમય પ્રતિબદ્ધ આવશ્યક આદિ કૃત્ય છે તે પણ દરેક સંધ્યા સમય પામીને કરવાં જ જોઈએ અને ભાદ્રપદ આદિ માસથી પ્રતિબદ્ધ જે કર્યો છે તે બે ભાદ્વપદ હેય તે કયા ભાદ્રપદમાં કરવાં? તેના વિચારમાં પ્રથમ ભાદ્રપદને અવગણીને (નહીંગણુને) બીજા ભાદ્રપદમાં તે કરવાં એમ સમ્યક્ પ્રકારે વિચાર કર. ૧લી જે, અચેત એવી વનસ્પતિઓ પણ અધિક માસ અંગીકાર કરતી નથી, જેથી અધિક માસને ત્યજીને બીજા માસમાં પુષિત થાય છે. * વ્યાજ, ભાડું, પગાર વિગેરેમાં હિંદુ માસની ગણત્રીએ, હાલમાં અધિક માસનું વધારે લેવા દેવામાં આવે છે તે નવીન પ્રવૃત્તિ છે. તેથી જ તે કરાર લખવો પડે છે.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy