________________
૧૩
સજજને,
જૈનદર્શન” એક સ્વતંત્ર દર્શન છે. આ જૈનદર્શનમાં તત્ત્વજ્ઞાન, સાહિત્ય અને ઈતિહાસ સમૃદ્ધ, સંપૂર્ણ અને જૈનેતર સમગ્ર સાહિત્યના અભ્યાસીઓને પણ આકર્ષણ કરે તેવું છે. આ સંબંધમાં એક જર્મન વિદ્વાન ડો. હર્મન જેકેબી કહે છે કે
In conclusion let me assert my conviction that Jainism is an original system, quite distinct and independent from all others, and that, therefore it is of great importance for the study of Philosophical thought and religious life in ancient India.
Read in the Congress of the History of religion
ઉપસંહારમાં મારે કહેવું જોઈએ કે, જૈનધર્મ એક સ્વતંત્ર દર્શન છે, એ અન્ય સર્વ દર્શનેથી સર્વથા ભિન્ન અને સ્વાયત્ત છે અને એ રીતે એ પ્રાચીન ભારતવર્ષની તાવિક વિચારસરણી અને ધાર્મિક જીવનશ્રેણિનાં અધ્યયન. નિમિત્તે અત્યંત ઉપયોગી છે. આ મારી નિશ્ચિત પ્રતીતિ છે. (સર્વ ધર્મ ઈતિહાસ પરિષમાં વંચાયેલ નિબંધ ઉપરથી)
એક સમય હતું, જ્યારે જૈનધર્મ સંબંધી મોટા મોટા વિદ્વાનોમાં પણ ભારે અજ્ઞાન હતું. કેટલાક જૈનધર્મને બુદ્ધધર્મની કે બ્રાહ્મણુધર્મની શાખા માનતા હતા, કેટલાક મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com