________________
પ્રકાશકનું નિવેદન
આ ગ્રંથના કર્તા મુનિરાજ શ્રી. વિશાલવિજયજી મહારાજ અમારા વાચકેને અન્યાન્ય ગ્રંથને લીધે સુપરિચિત છે. નવયુગપ્રવર્તક, આ સંસ્થાના સ્થાપક, આચાર્યદેવ શ્રીવિજ્યધર્મસૂરીશ્વરજીના એ પ્રશિષ્ય અને આબુ-શંખેશ્વર આદિ મહાતીર્થોના ઐતિહાસિક ગ્રંથના રચયિતા તરીકે સુખ્યાત શાન્તભૂતિ શ્રી જયન્તવિજયજી મહારાજને તેઓશ્રી શિષ્યરત્ન છે.
પૂજ્ય સૂરીશ્વરજીએ આ સંસ્થા સ્થાપીને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં એક જ્ઞાનસંસ્થા નિર્માણ કરવાને મને રથ સેવ્યું હતું. તેઓશ્રીના દુઃખદ અવસાનથી ગ્રંથમાળા પર આપત્તિનાં વાદળે ઉલડ્યાં હતાં. એનું અસ્તિત્વ પણ જોખમાવાની તૈયારીમાં હતું, એ વેળા તેઓશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજે અથાગ પરિશ્રમ સેવી આ સંસ્થાને પુનર્જીવન આપ્યું. અમને
એ જાહેર કરતાં આનંદ થાય છે, કે તેઓશ્રીના સુશિષ્ય મુનિરાજ શ્રી. વિશાલવિજયજીએ પણ પોતાના ગુરુવર્યોના પગલે ચાલી આ સંસ્થાને અપનાવી છે.
પાઠકેને એ યાદ હશે કે મુનિરાજ શ્રીવિશાલવિજયજીકૃત “સુભાષિત પદ્યરત્નાકર”ના પાંચ ભાગો જેન તેમજ જનેતમાં ખૂબ જ પ્રિય નીવડ્યા હતા. ને ટૂંક સમયમાં તેની આવૃત્તિઓ ખલાસ થઈ ગઈ છે. અત્યારે નવી આવૃત્તિ માટે વિચારણા પણ ચાલી રહી છે તે મુનિરાજશ્રીના હસ્તે જ આ ગ્રંથ પણ સંપાદિત થઈને પાઠકેને અર્પણ થાય છે.
દ્વાષષ્ટિમાગણીસંગ્રહ” નામને આ પ્રકારને ગ્રંથ આપણે ત્યાં નહે. કર્મગ્રંથના અભ્યાસીઓ માટે તથા આગમના અભ્યાસીઓ માટે આ ગ્રંથ ખૂબ ઉપયોગી છે. જીવન પ૬૩ ભેદે, એ નામનાં દ્વાર, ગુણસ્થાન દ્વાર, ઉપગદ્વાર, લેશ્યાદ્વાર વગેરે ૮૩ દ્વારમાં ગતિ, ઈન્દ્રિય, કાય,જેગ વગેરે ૬૨ માગણા તેઓશ્રીએ ઉતારી છે. અમને આશા છે કે અભ્યાસીઓ માટે આ ગ્રંથ એક કુશળ શિક્ષકની ગરજ સારશે.
આ ગ્રંથ અત્યંત પરિશ્રમપૂર્વક સંપાદિત કરી, ગ્રંથમાળાને પ્રકાશન માટે સુપ્રત કરનાર મુનિરાજ શ્રી વિશાલવિયજી મહારાજના અમે આભારી છીએ. છે આ ગ્રંથ છપાવવામાં વધારે સહાયતા રાધનપુરવાસી સંગ્રહસ્થાની છે. તે સિવાય પણ નાની નાની મદદે અનેક ગામ તરફથી મળી છે, તે માટે અમે તેમના પણ આભારી છીએ.
મંત્રીઓ