________________
લોક લજ્જા કે માર્ગ સંબંધી શંકા હશે તો પણ યથાર્થ આરાધના થશે નહીં. શંકા થાય તો ત્વરાએ તેનું સમાધાન મેળવવું જોઈએ.
જીજ્ઞાસાવૃત્તિ પણ સાધકને ઉપકારી છે, પણ તે સજીજ્ઞાસા હોવી જોઈએ. સત્ત્ને પ્રમાણિક પણે સમજવાની ઇચ્છા થવી તે સત્ જીજ્ઞાસા છે. પરમ કૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં બોધ્યું છે કે :
“તે જીજ્ઞાસુ જીવને થાય સદ્ગુરુ બોધ; તો પામે સમક્તિને, વર્તે અંતરશોધ.’
પરંતુ આવા જીજ્ઞાસુ જીવના લક્ષણો પણ પહેલાં જ કહ્યા છે કે :
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવેખેદ, અંતર દયા, તે કહીએ જીજ્ઞાસ.'
સાધક જીવની યોગ્યતા માટે શાસ્ત્રોમાં ઘણું-ઘણું કહેવાયું છે, તેમાં સદાચાર સર્વપ્રથમ શરત છે. સદાચારનાં મુખ્ય પારમાર્થિક અંગો - મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતા કહી છે તેનો હવે ક્રમથી વિચા૨ ક૨વા યત્ન કરીશું.
*
84848 પ્રજ્ઞાબીજ * 32 paravano