________________
બોધપાઠ-૩૬
(આત્મભાવનાથી આત્મસિદ્ધિ-૧ (0)
'૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦==
શ્રીમદ્ રાજચંદ્રદેવની વય સાત વર્ષની હતી, ત્યારે કોઈ સ્વજનનો મૃતદેહ સ્મશાનમાં કેટલાક લોકો બાળી રહ્યા હતા તે જોઈને પ્રથમ તો લોકોની ક્રૂરતા દેખાઈ, પછી તુરત વિચાર થયો કે કોઈ મનુષ્ય અન્ય મનુષ્ય પ્રત્યે ક્રૂર કઈ રીતે થઈ શકે ? તો પછી આ ઘટનાનું રહસ્ય શું છે ? તેવો પ્રશ્ન ચિત્તમાં થયો. ચિત્તમાં મૂળ કારણ શોધતા, પૂર્વનાં પોતાનાં જ કેટલાયે જન્મોનું સ્મરણ થઈ આવ્યું અને સમાધાન થયું કે સંસારનું આવું સ્વરૂપ અનાદિનું છે. પોતે પૂર્વે આ પ્રકારે ઘણાં દેહ ધારણ કરેલા અને તે દેહનો આ પ્રકારે જ નાશ કરવામાં આવેલો છે. આ પ્રકારનાં આત્મ ચિંતનથી સંસાર પ્રત્યે વૈરાગ્યનું પ્રથમ બીજ હૃદયમાં રોપાઈ ગયું.
- વૈરાગ્યનું જે બીજ સાત વર્ષની વયમાં રોપાયું તે સમય જતા અંકર ફૂટીને છોડનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સોળ વર્ષની વયે મોક્ષમાળાનાં ૧૦૮ પાઠ લખ્યા, જેમાં એક પાઠ “અમુલ્ય તત્ત્વ વિચાર” નામે કાવ્યરૂપે પ્રગટ થયો, જેમાં અતિ ગહન વિચાર આત્મચિંતનનો પ્રકાશ્યો તે :
ની&િઇટને પ્રશાબીજ 98 base