Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 291
________________ બોધપાઠ-૧૦૫ 0 મંત્ર ત્રય-૨ ) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્રીમદ્જીએ બીજો મંત્ર ‘સહજાત્મ સ્વરૂપ પરમગુરુ’નો આપ્યો છે. આ મંત્રનો શબ્દાર્થ કરીએ તો એમ થાય કે : (૧) જીવાત્માનું સહજ(આત્મસ્વરૂપ એ જ પરમગુરુ છે. પરમગુરુ એટલે, પૂર્ણગુરુ એક અંશે પણ ન્યુન ન હોય તે. અર્થાત્ આત્મા એ એવો પદાર્થ છે જે અનંતશક્તિ ધરાવે છે. આત્મા પોતે જ મહાત્મા થાય છે અને પરમાત્મા પણ થાય છે. તો પછી પ્રશ્ન થાય છે કે તેને તો પછી પરમાત્માની ભક્તિ, સેવા, આદિ કરવાનું પ્રયોજન શું ? વાત પણ સાચી છે. પણ જીવાત્માની શક્તિઓ કોઈ પ્રકારે ઢંકાયેલી છે, આવરિત છે. તેને કર્મનું આવરણ છે. કર્મ રહિત થયાથી તે પરમાત્મા જ છે. (૨) જીવને બોધ પ્રાપ્ત થવા માટે, બોધ પામેલા ગુરુની પણ આવશ્યકતા છે. ગુરુ તો ઘણાં છે પણ જે ગુરુને પોતાને પોતાના નિજ આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થયો છે અને પોતાની તમામ પ્રવૃત્તિ આત્માનાં કલ્યાણનાં હાજakત પ્રજ્ઞાબીજ • 291 8889

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304