Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 281
________________ તિથિને અર્થે ઉપવાસ કરવાનો નથી. પણ આત્માને અર્થે ઉપવાસ કરવાનો છે.” દરેક ધર્મમતમાં જુદાં-જુદાં સ્વરૂપે ઉપવાસ થતા જોવાય છે. તેની નિયમિતતા જાળવવા માટે તિથિ-તારીખ નક્કી કરી તે વ્યવસ્થા માટે છે. ઉપવાસ તો તપ છે, તે આત્માને માટે છે. પણ જીવો તિથિ છે માટે ઉપવાસ કરવો પડે તેમ માને તો તે તિથિને અર્થે થયો કહેવાય. ઉપવાસનો હેત આહાર પ્રત્યેની આસક્તિ છોડવાનો છે અને અવકાશ પ્રાપ્ત કરી પ્રભુ ભક્તિમાં જોડાવાનું છે. જો કે વર્તમાનમાં આહાર કરતા વિશેષ આસક્તિ ધન, માન, સત્તા પ્રત્યે વધુ છે તે જોતા આ બધું છોડવારૂપ ઉપવાસ જરૂરી છે. આ કાળમાં માનવજીવો મોબાઈલ ફોન અને ટી.વી.નો ઉપવાસ રાખે તો વધુ કલ્યાણરૂપ થશે. જેઓ આહારત્યાગરૂપ ઉપવાસ કરે છે તેવા જીવો પણ આ સાધન છોડી શકતા નથી તે કેવું ? શુભ ક્રિયાનો કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે ત્યાં ત્યાં નિષેધ છે.” નિશ્ચયનયનાં આગ્રહવાળા શુભક્રિયાનો નિષેધ કરે છે તે કેટલું યોગ્ય છે તે આ વચનથી વિચારવું જરૂરી છે. શુદ્ધ ક્રિયા અર્થાત્ આત્મભાવમાં ઉપયોગને જોડવાની ક્રિયા મોક્ષનું સીધું કારણ છે. શુભ ક્રિયા પરંપરાએ મોક્ષનું કારણ બની શકે છે. સારી ગતિમાં જવાનું કારણ શુભ ક્રિયા છે, સારી ગતિમાં દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર જેવા નિમિત્ત કારણ મળવાનું સંભવે છે અને તે પામી_પુરુષાર્થ કરી મોક્ષ પામી શકે છે. Araba etuollox • 281_Balada

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304