________________
ભ્રાંતિનાં કારણે દેહમાં સ્વપણાંની માન્યતા દૃઢ થઈ ગઈ છે, તે ભ્રાંતિમાંથી બહાર આવ્યા વગર છૂટકો નથી, મુક્તિનો માર્ગ સુઝતો નથી.
આ શ્રી સહજાનંદઘનજી વીતરાગ માર્ગનાં સાધુ હતા, બાર વર્ષ સુધી ગહન શાસ્ત્ર અભ્યાસ કર્યા પછી આત્મ કલ્યાણની મુખ્યતા કરી સંપ્રદાય છોડીને અસંગની અતિ કઠીન યાત્રા, ગુફાવાસ, એકાંત સાધના, દિવસમાં એક જ વખત ભોજન, સમસ્ત ભારતવર્ષનું ભ્રમણ અનેક ધર્મમતનાં મહાત્માઓનો સંગ વગેરે ખૂબખૂબ (વર્ષો સુધી) કરવા છતા મનમાં સંતોષ ન થયો. અનાયાસ એક દિવસ શ્રીમદ્ રાજચંદ્ર દેવ પ્રણીત મોક્ષમાળા હાથમાં આવતા, વાંચતા, દૃષ્ટિ પલટાઈ ગઈ, ઘણાં કાળની શોધ સમાપ્ત થઈ અને શ્રીમદ્જીનાં સમસ્ત લેખનનો ઊંડો અભ્યાસ કરી, શ્રીમદ્જીની પરોક્ષ આજ્ઞામાં રહીને આત્મકલ્યાણ કરી ગયા. ધન્ય છે આવા ભવ્ય-આત્માને.
ઇAિZA પ્રશાબીજ •ળ bookઇ8િ