________________
જીવાત્માએ અનંત કાળનાં પરિભ્રમણમાં અનંતીવાર ધર્મસાધન કર્યા છે, જપ-તપ આદિ સાધનો કર્યા છે, ઘર-બાર છોડીને સાધુ પણ થયો છે, શાસ્ત્ર અભ્યાસમાં પારંગત થઈ વિદ્વતાપૂર્વકનાં પ્રવચનો કરીને બહુમાન, કીર્તિ, યશ પામ્યો છે. ગ્રંથો લખ્યા છે, મંડન-ખંડનની પ્રવૃત્તિ પણ કરી છે તો પછી મોક્ષ કાં ન થયો ? આ વિચાર સાધકને અવશ્ય થવો ઘટે છે.
જપ-તપ આદી સાધનો ખોટા નથી, પરંતુ જો આત્મલક્ષે-સ્પષ્ટ હેતુ એ ન થાય તો તે મોક્ષનું કારણ બનતું નથી તે સમજવાનું ખૂબ જરૂરી છે.
“વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજી ન પર્યા; અબ ક્યોં ન વિચારત હે મન સે;
કહું ઓર રહા ઉન સાધન સે.” આ “કછુ ઔર” ને જાણવાનું છે, જાણીને આરાધવાનું છે. આટલું થાય તો મુક્તિ બહુ દુર નથી જ એમ સહેજે સમજમાં આવે છે.
Laath Meuolet • 104 BABALA: