________________
હેતએ જ કરે છે. રાત્રી દિવસ આત્માનું જ ચિંતન છે, રટણ છે, દેહ પ્રત્યે કેવળ ઉદાસીન છે, સંસારનાં સર્વ સંબંધો-સંગ પ્રત્યે પણ ઉદાસીન છે. એકાંતવાસ જેને પ્રિય છે. અને અંસગભાવથી સંગમાં રહેતા જોવા મળે છે. આવાં ગુરુ પરમગુરુ કહી શકાય અને તેવા ગુરુ જ જીવોનાં કલ્યાણનું નિમિત્ત કારણ બની શકે છે
જીવાત્માને આવા સદ્ગુરુનો યોગ થવામાં પૂર્વનું મહાપુણ્ય કારણભૂત હોય છે. સદ્દગુરુનો મહાન ઉપકાર છે તે વાતનું નિરંતર સ્મરણ કરાવે તેવો આ મંત્ર છે.
જે જીવાત્માને આવા સદૂગરનો યોગ નથી થયો તે જીવ આ મંત્રનાં રટણથી તેવા સદ્દગુરુના યોગ થવા માટે પણ ભાવના કરતો રહે તો પૂર્વકર્મનું આવરણ-અંતરાય કર્મનું આવરણ તોડીને સગરનો યોગ પામે છે.
સમાધિમરણનું કારણ પણ આ મંત્ર છે. આયુષ્યનો યોગ પુરો થવા આવ્યો હોય અને અભ્યાસથી આ મંત્રનું રટણ છેલ્લી અવસ્થામાં રહે અને દેહ ત્યાગ થાય તો તેનું મરણ સમાધિપૂર્વકનું હોવાથી ઉત્તમ ગતિનું કારણ બને છે.
હાઇકત્રિ પ્રજ્ઞાબીજ 292 bike