________________
બોધપાઠ-૧૭
0 એકત્વ ભાવના છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
માનવ પ્રાણીને જ્ઞાનીનાં બોધ વડે ભેદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે પોતે આત્મા છે, દેહ નથી એવો નિશ્ચય થાય છે અને પરિણામે દેહ પ્રત્યેની આસક્તિ ક્રમે કરીને છુટતી જાય છે. ઉપરાંત દેહનાં કારણે જે સગા-સંબંધીપરિવાર વગેરેનો યોગ થયો છે તે પ્રત્યેથી પણ આસક્તિ છૂટતી જાય છે. આમ થવામાં જીવાત્માને વૈરાગ્યભાવ ઉપકારી છે. જીવાત્મા રાગથી જ સંસાર સેવતો રહ્યો છે તે રાગ છૂટતાં જ સ્વસ્વરૂપ સંબંધી તેને વિચાર કરવાનો અવકાશ મળે છે અને ક્રમે કરીને આત્મવિચાર, આત્મચિંતન અને સ્વરૂપ ધ્યાન પ્રત્યે જોડાય છે. ઉપયોગ ત્યાં જોડાય છે. આ સાધના છે.
સાધક મનુષ્ય આવી સાધના કરતાં સહજ વિચારે સમજતો થાય છે કે હું એકલો છું, કોઈ જ સંયોગી પદાર્થો (જડ-ચેતન) મારા નથી. જન્મમરણ એકલો જ કરી રહ્યો છું અને જ્યારે સર્વથા મુક્ત થઈશ (સિદ્ધ થઈશ) ત્યારે પણ હું એકલો જ હોવાનો. બધાંજ સંયોગી પદાર્થોથી સર્વથા છુટાં
ઇAિZA પ્રશાબીજ • 58 bookઇ8િ