Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 293
________________ બોધપાઠ-૧૦૬ 0 મંત્ર ત્રય-૩ છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્રીમદ્જીનાં ભક્ત સમુદાયમાં ત્રીજો મંત્ર આરાધવામાં આવે છે તે છે ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ.” આ મંત્ર શ્રીમદ્જીએ કોને, ક્યારે આપ્યો તેનો ઉલ્લેખ જોવા મળતો નથી. અગાસ આશ્રમનાં સ્થાપક પ્રભુશ્રી લઘુરાજ સ્વામીએ જે ત્રણ મંત્રની જીવોને-ભક્તોને શ્રદ્ધા કરાવી છે, પ્રેરણા આપી છે, તેમાં આ મંત્રનો સમાવેશ છે. તે જોતા કદાચિત પ્રભુશ્રીએ પરમકૃપાળુ દેવ શ્રીમદ્જી પ્રત્યેની ભક્તિથી આ મંત્ર પ્રયોજ્યો હોય તેવી શક્યતા જણાય છે, પછી તો ઈશ્વર દૃષ્ટ. આ મંત્રની સમજ એવી લાગે છે કે પરમગુરુ પદે જેમને સ્થાપીએ તે નિર્ગથ અને સર્વજ્ઞ-કેવળી ભગવાન હોવા ઘટે છે. કેમ કે કેવળજ્ઞાન રહિત દશામાં જે કોઈ મહાત્મા હોય તેને શાસ્ત્રોમાં છદ્મસ્થ કહેવામાં આવે છે, તે અંશે ઉણાં છે, સર્વજ્ઞ સર્વથા પૂર્ણ જ્ઞાની છે, માટે તેને પરમગુરુ પદે માન્ય કરી શકાય. જીવાત્માને પૂર્ણ પદની પ્રાપ્તિ આવા ગુરુ જ કરાવી શકે. હતીઇજીજીને પ્રજ્ઞાબીજ • 293 Aજ થિ

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304