________________
બોધપાઠ-૪૧
સત્સંગનો મહિમા
પરમ કૃપાળુ શ્રીમદ્ભુએ પોતાનાં લખાણમાં, કાવ્યોમાં અને અલૌકિક એવી આત્મસિદ્ધિમાં સત્સંગનો ખૂબ મહિમા ગાયો છે, તે તેમનાં જ શબ્દોથી સમજીએ :
૧. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; સત્સંગ મળ્યો કે તેનાં પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવાં પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે.’’
૨. “સત્સંગનો સામાન્ય અર્થ એટલો જ કે ઉત્તમનો સહવાસ.’’
૩. “આત્માને સત્નો રંગ ચઢાવે તે સત્સંગ.’
૪. “સત્સંગ એ આત્માનું પરમ હિતેષી ઔષધ છે.’’
૫. “સત્સંગ હોય તો બધાં ગુણો સહેજે થાય.’’
A#C# પ્રશાબીજ + 111 parano