________________
બોધપાઠ-૭
0
સદાચાર
છે
ನನನನನನನನನನನನನನನನನನನ
બોધ પાઠ ૬માં કર્તવ્યરૂપે સદાચારનો થોડો વિચાર થયો. સદાચારને માનવાચાર માનીને પ્રત્યેક મનુષ્ય આચરે તો આ પૃથ્વી સ્વર્ગ બની જાય તેમ છે. બોધ પાઠ ૫ માં જે પૂર્વ જીવન (ભવ) વિચારમાં લીધું તેનું સ્મરણ કરીને જે-તે યોનિની દુઃખદ, દારૂણ અવસ્થાનો અંત લાવવો હોય તો માનવપ્રાણી તેમ કરવાને સક્ષમ છે. માનવયોની સિવાય અન્ય યોનીનાં જીવો તેમ કરવા સક્ષમ નથી તેવો સર્વ પૂર્ણવીતરાગ પરમાત્માનો અભિપ્રાય છે, બોધ છે.
ચારે ગતિ-યોનિનું પરિભ્રમણ ભલે અનાદિનું હોય પણ તેનો અંત માનવપ્રાણી માટે સંભવિત છે. પાંચમી ગતિ મોક્ષ છે. તે પ્રાપ્ત કરવાને માનવજીવ સક્ષમ છે. પાંચમી ગતિ પ્રાપ્ત કરવા માટે અન્ય ચાર ગતિનાં કારણો જાણવા પડશે અને તે કારણોનો નાશ-ક્ષય કરવો પડશે. જે મનુષ્ય આમ કરવા ઇચ્છે છે તેણે પૂર્વનાં મહાન પુરુષોએ પ્રસ્થાપિત કરેલા માર્ગને અનુસરવું પડશે. વળી આ માર્ગ ક્રમથી સેવવો પડશે. ક્રમિક વિકાસથી, ધીરજ ધરીને, પરિશ્રમ
ઇAિZA પ્રશાબીજ • 30 bookઇ8િ