Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 297
________________ “વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભા ઊભા ચિત્રપટ્ટ પડાવેલ તે જ સ્થિતિમાં કોચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હંમેશાં દિશાએનિહાર ક્રિયા) જવું પડતું તેને બદલે આજે કંઈ પણ નહિ. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટ્યો.” આ વર્ણન શ્રીમદ્જીની છેવટની દશાનું છે. અંતરંગ દશા તો શ્રીમદ્જીનું સાહિત્ય જોતા સહેજે સમજાય છે. આ બંને દશાનું અનુપ્રેક્ષણ મુમુક્ષુ જીવોએ આત્મહિતાર્થે અવશ્ય કરવા જેવું છે. આત્મહિતનું તે કારણ બનશે જ તેમાં શંકા રહેતી નથી. તેઓશ્રીનું સૌથી છેલ્લું વચન “હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” તે વાંચતા વિચારતા આશ્ચર્યમાં પડી જવાય છે. હે પ્રભુ, તમારે આ વચન ઉચ્ચારવાનું પ્રયોજન શું ? જીવન પર્યંત સમાધિભાવમાં જેમની નિરંતર અવસ્થા હતી તેને ફરી લીનતા કરવાપણું કેમ હોય ? પરંતુ આપ પ્રભુનો બોધ પામ્યાથી આ જીવને જે સમજ પ્રાપ્ત થઈ છે તેના આધારે એવું સમજાય છે કે આ તો સંકેત છે. જતા જતા પણ અમારા ઉપર અપાર ઉપકાર કરવાનું આપ ચુક્યા નથી. અમારા માટે એવો સંદેશ છે કે જેને મુક્ત થવું છે તેણે પોતાના સ્વરૂપમાં લીન થવું તે માત્ર ઉપાય છે. જીવનો ઉપયોગ સ્વભાવમાં-સ્વરૂપમાં રહે ત્યાં કર્મ નિવૃત્તિ છે અને બહાર પર પદાર્થ અને પરનાં સંગમાં ઉપયોગ જોડાય તે વિભાવ દશા છે અને કર્મબંધનું કારણ છે, પરિભ્રમણનો હેતુ છે. અનંતનાં પરિભ્રમણમાં મુક્તિનું આ રહસ્ય આ આત્માને જાણવામાં આવ્યું નથી, તે હવે જાણવા મળ્યું છે. પ્રભુ આપના આ ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવાનું આ આત્માનું ગજું નથી, સામર્થ્ય નથી. શું પ્રભુ ચરણ કને ધરું ? આત્માથી સૌ હિન. એ આત્મા પણ પ્રભુ, આપે જ તો મને પરમપ્રેમ આપ્યો છે. તે આપને પરત કરતા અવનિય દોષ આવે છે તેમ સમજીને ફરી ફરી કોટી કોટી વંદના કરું છું. બાકી પ્રભુજી આપને રાજી ની&િઇટને પ્રશાબીજ • 297 base

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304