________________
હું કોણ છું; ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સબંધે વળગણા છે, રાખુ કે પરહરૂં.”
સોળ વર્ષની કિશોર અવસ્થામાં આવું ગહન-સૂક્ષ્મ ચિંતન જોતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ આ બાળક કે કિશોર અવસ્થા લૌકિક લક્ષથી છે, પરમાર્થથી જોતા તો અનેક ભવભવાંતરમાં થયેલી સાધનાનું જે સ્મરણ થયું છે તેનું પરિણામ છે તેમ જણાય છે અને આશ્ચર્ય સમાઈ જાય
આગળ વધતા યુવાવયમાં પ્રવેશ સાથે, મુંબઈ જેવી મોહમયી નગરીમાં નિવાસ થયો, વેપારમાં જોડાયા અને લગભગ દશ વર્ષ અતિ પરિશ્રમ સહિતનો પુરુષાર્થ કરી પૂર્વનું ઋણાનુબંધ નિવૃત્ત કર્યું. સાથોસાથ પરમાર્થની સાધનાને મુખ્ય હેતુ બનાવી ગહન ચિંતન, મનન, અનુભૂતિ કરતા રહ્યા અને જે કોઈ યોગ્ય મનુષ્યો પરિચયમાં આવતા તેમને પણ આત્મકલ્યાણનાં માર્ગમાં લાવ્યા, પોષણ આપ્યું અને આત્મ અનુભૂતિ-સમ્યક્દર્શન થવામાં ઉત્કૃષ્ટ નિમિત્ત બન્યા.
ઇAિZA પ્રશાબીજ • 99 bookઇ8િ