________________
બોધપાઠ-૩૮
(O) આત્મભાવનાથી આત્મસિદ્ધિ-૩ (૯) NNNNNNNNNNNNNNNNNNN
શ્રીમદ્જીએ પ્રગાઢ આત્મચિંતન કરતા, જ્યારે-જ્યારે કંઈ આત્મ અનુભૂતિ થઈ તે કોઈને પત્રથી. સ્વનોંધથી કે કાવ્યરૂપે વ્યક્ત કરતા રહ્યા છે. એમનાં આ વક્તવ્ય-લેખન જોતા તેમનો ઉપયોગ સતત આત્માકાર સ્વરૂપે હતો તેવી અનુભૂતિ સહેજે થઈ આવે છે. કેટલાક વચનો સ્મરણમાં આવે છે :
પચ્ચીસ વર્ષની વયે લખે છે,
ગમે તે ક્રિયા જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એકજ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સનાં ચરણમાં રહેવું.”
વિશેષમાં વ્યક્ત કરે છે કે :
“અને એ એકજ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે.” “અને એ લક્ષ વિના જીવને સમ્યકત્વસિદ્ધિ થતી નથી.”
ની&િઇટને પ્રશાબીજ • 102 base