Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 269
________________ જે જીવો મિથ્યા દૃષ્ટિ છે, ભ્રાંતિમાં છે, અને સતુ માનીને સેવે છે - આરાધ છે તેને ફળરૂપ પુણ્ય કે પાપનો બંધ થાય છે તે તેનું સફળપણું છે. પરંતુ સમ્યકુદૃષ્ટિ જીવ તો સતને સત્ રૂપે અને અસને અસત્ રૂપે સેવે છે - આરાધે છે. જેથી તે પુણ્ય કે પાપરૂપ ફળ થતું નથી. સમ્યક દૃષ્ટિ સાક્ષીભાવે કર્મ વેદ છે માટે નિર્જરા થાય છે. મિથ્યાર્દષ્ટિ રાગ-દ્વેષ-અજ્ઞાનપણે કર્મ કરતો રહે છે જેથી નવા કર્મ બાંધતો જ રહે છે. આ ભેદ સાધકે સમજવાનું જરૂરી “આત્મા ધારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી.” માનવજીવો બાલ્ય અવસ્થા પુરી કરી જેમ જેમ મોટી ઉંમર થતી જાય છે તેમ તેમ સત્યનો આશ્રય છોડતા જોવાય છે. આ માનવજીવનની કરુણા છે. પછી તો સત્યથી દુર દુર થતો જાય છે. વિના કારણે અસત્યનો આશ્રય લેતો થાય એ ટેવ પડી જાય છે. આ બધાનું કારણ અજ્ઞાન છે. તે જાણતો નથી કે વિના કારણે કેટલા કર્મોથી સતત બંધાતો જાય છે. જો કે ઘણાં મનુષ્યો એવા પણ છે કે ભાગ્યે જ સંજોગોવસાત્ અસત્યનો આશ્રય લેતા હોય છે. આવા લોકો કર્મબંધથી ઘણાં અંશે બચી જાય છે. સત્ય બોલવાથીવર્તવાથી નુકશાનનો ભય લાગે તો મૌન રહેવું પણ અસત્યનો આશ્રય ન કરવો તે કલ્યાણનો માર્ગ છે. %e0%ઇ પ્રશાબીજ 200 પ્રતિક્રિટિશ

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304