________________
આત્મજ્ઞાન છે. આવું જ્ઞાન જ્ઞાનમાર્ગ આરાધવાથી પણ પ્રાપ્ત થાય છે અને ભક્તિમાર્ગ આરાધવાથી પણ થાય છે. ભક્તિથી જીવનાં અંતરંગ ભાવો નિર્મળ થાય છે, આÁ થાય છે અને અહંભાવ તેમ જ કષાયભાવો મંદ થાય છે. આવી દશા પ્રાપ્ત થવાથી સર્બોધ તે જીવાત્મામાં પરિણામ પામીને તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે અને આત્મજ્ઞાન મોક્ષનું કારણ બને છે. આપણી પરંપરામાં આવા ઘણાં ભક્તો થયા છે, વાલિયો ભીલ, વાલ્મિકિ મહર્ષિ થયા જેણે રામાયણ ગ્રંથની રચના કરી, કબિર, મીરા, નરસિંહ, શબરી, હનુમાન જેવા ભક્તો અક્ષરજ્ઞાનની પ્રાપ્તિ વિના જ ભક્તિથી આવી સિદ્ધિ મેળવી શક્યા છે, તે લક્ષમાં રાખવા જેવું છે.
Araba ewollex 224_Balada