________________
જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મનાં છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર ધર્મરૂપ નથી, અન્યરૂપ છે.”
ધર્મનાં આરાધનમાં અનેકવિધ સાધનો છે. તે બધા મોટાપુરુષોએ પ્રયોજ્યા છે અને ઉપકારી છે, પરંતુ સાધક જીવોની પ્રકૃતિ અનેક પ્રકારે પ્રવર્તે છે, જેથી દરેકને એકજ સાધન અનુકુળ થાય નહીં. જેને જે સાધન અનુકુળ થાય તે સેવે, પણ આત્મા આત્મભાવમાં સ્થિર થતો હોય તો જ તે ઉપકારી સાધન છે. અન્ય ભાવમાં-પરભાવમાં સરી જતો હોય તો યોગ્ય નથી.
ક્રોધાદિ (ક્રોધ, માન, માયા, લોભ) અનેક પ્રકારનાં દોષો પરિક્ષીણ પામી ગયાથી સંસાર ત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે અથવા તો કોઈ મહતુપુરુષનાં યોગે યથાપ્રસંગે તેમ કરવું યોગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી.”
સંસારત્યાગરૂપ દીક્ષા ગ્રહણ કરવાનો ભાવ કોઈ કારણે થઈ આવે તો સાધકે આ વચન વિચારવા ખૂબ જરૂરી છે.આગમાં કે અન્ય કોઈ સંજોગવસાત, જરૂરી વૈરાગ્ય દશા આવ્યા વગર આવો નિર્ણય યોગ્ય નથી. વૈરાગ્ય વિના ત્યાગ ટકતો નથી. કષાયભાવો અત્યંત મંદ થયા હોય અને યોગ્ય સતુપુરષ-આત્મજ્ઞાની પુરુષની નિશ્રા હોય તો જ આ વાતે સાધકે નિર્ણય કરવો યોગ્ય છે.
“કરેલા કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી અને નહીં કરેલું એવું કિંઈ કર્મફળ પ્રાપ્ત થાય નહીં.”
લોકોકિત પણ કહે છે કે “કરે તે ભોગવે’ આ ન્યાયસંગત વાત છે, કોઈનાં કર્મ કોઈ બીજો ભોગવે તેમ બનવું સંભવિત નથી. અજ્ઞાનવશ બોલાતું હોય કે ઘરડાંનાં પુણ્યથી સારું થયું. અને કોઈના પાપે અમે દુ:ખી છીએ” આ વાત ન્યાયસંગત નથી. માનતા-બાધાથી દુઃખ જતું રહેતું હોય તો કર્મનો સિદ્ધાંત સિદ્ધ થતો નથી. વિવેક રાખવો જરૂરી છે.
ની&િઇટને પ્રશાબીજ • 212 base