________________
માર્ગદર્શન મેળવ્યું હતું તે પૈકી એક પ્રશ્ન હતો “મોક્ષ શું છે ?” શ્રીમદ્જીએ ઉત્તર લખ્યો હતો તે આ મુજબ છે :
“જે ક્રોધાદિ (ક્રોધ-માન-માયા-લોભ આદિ) અજ્ઞાનભાવમાં દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી તે મોક્ષ પદ જ્ઞાનીઓએ કહ્યું છે, તે સહજ વિચારતા પ્રમાણભૂત છે.”
મોક્ષ એટલે બંધનોથી મુક્તિ. જીવને કર્મબંધ તે બંધન છે. જેટલા અંશે કર્મબંધ ઘટે તેટલા અંશે મુક્તિનો અનુભવ થાય અને સર્વથા કર્મબંધ ટળે તો સર્વથા મુક્તિ-મોક્ષ અનુભવમાં આવે.
બીજો પ્રશ્ન કર્યો છે, “આર્યધર્મ તે શું ?” શ્રીમદ્જી ઉત્તર આપે છે, “આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાનાં પક્ષને આર્યધર્મ કહેવા ઇચ્છે છે... જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય તેને આર્યધર્મ કહે છે.”
આર્ય ધર્મ અર્થાત્ સત્ય ધર્મ, કોઈ મોટા પુરુષની સેવા, પૂજા વગેરે તે મોટા પુરુષની વિદ્યમાનતા ન રહે ત્યારે મંદીરો કે એવા સ્થાનકોમાં કરવામાં આવે છે તે વ્યવહાર ધર્મ કહી શકાય. નિશ્ચયથી તો આત્મધર્મને સત્યધર્મ માની શકાય કે જે ધર્મથી જીવાત્મા ક્યારેય પણ મોક્ષ પામી, જન્મ-મરણથી મુક્ત થાય.
ત્રીજો પ્રશ્ન એવો છે કે “અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે ?” શ્રીમદ્જીનો ઉત્તર આ પ્રકારે છે :
ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે.” જેને અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહેવામાં આવે છે. પરંતુ આવા જીવને અજ્ઞાની કહી શકાય નહીં. જ્ઞાનગુણ તો પ્રત્યેક જીવને, પ્રત્યેક અવસ્થામાં, ગતિમાં, દેહમાં શાશ્વત છે. મોક્ષનું કારણ જ્ઞાન છે. જ્ઞાનનો અર્થ આત્મજ્ઞાન, શુદ્ધ અને સહજ નિજસ્વરૂપનું જ્ઞાન. આત્મા જેવો છે તેવો જ જાણવો તે
ની&િઇટને પ્રશાબીજ • 223 base