________________
સંચવાય નહીં, તેમને આ દૃષ્ટાંતરૂપ ઘટના અને એ પણ આ કાળની જ છે તે ખુબ પ્રેરણા આપી શકે છે. વર્તમાનમાં આપણને તે પ્રત્યક્ષ પ્રમાણ છે કે શ્રીમદ્દનું જીવન જોઈને જાણીને તેમનાં માર્ગે ચાલતા લાખો મુમુક્ષુઓ જોવામાં આવે છે. સારી પેઠે સંપત્તિ-ધનાદિ હોવા છતાં તે પ્રત્યે આસક્તિની મંદતા આવા મુમુક્ષમાં જોવા મળે છે. યથાશક્તિ ત્યાગવૃત્તિ જોવા મળે છે. સરળતા અને સેવામાં રચિ જોવા મળે છે. મને તો લાગે છે કે જો શ્રીમદ્જીએ દીક્ષા લીધી હોત તો તેમનો આટલો મોટો પ્રભાવ આ કાળનાં લોકો ઉપર ન હોત. કેમ કે તેમની આ વિશેષતા કોઈનાં લક્ષમાં આવવાનું બનત નહીં. ઘણાં બધાં સાંપ્રદાયિક મુનિની હરોળમાં જ તેમને માનત. વળી કોઈ એક મતનાં સાધુ બનવું પડત તેથી બીજા મતનાં લોકો તેને સ્વીકારી શકે નહીં. ઉલટાનું કંઈક દ્વેષ થવાનું કારણ બનત. વર્તમાનમાં સંસારી જીવોનો આવો જ અભિગમ સાધુ સમાજ પ્રત્યે સહેજે આપણને જોવા મળે છે.
- શ્રીમદ્જીની ગૃહવાસમાં વૈરાગ્યદશા અને કોઈ એક સંપ્રદાય કે મત પ્રત્યે તેમનું જોડાણ ન થયાથી, જૈન અને જૈનેતરો સૌ તેમનાં પ્રત્યે આકર્ષાયા છે, અહોભાવ વ્યક્ત કરતા જોવાય છે. આગળ વધીને એમ પણ કહી શકાય કે શ્રીમદ્જીને દીક્ષા લેવાનું થયું હોત તો કયા મત-સંપ્રદાયમાં લેત ? જેમને કોઈ પોતાનો મત જ નથી ?
ડિજિત્ર પ્રશાબીજ 79 base