________________
બોધપાઠ-૩૩
ם
આત્મભાવના-૭
722~~~~~~~~~~~~~~~~
શ્રીમદ્ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ આત્મભાવનાનું સ્વરૂપ તાત્વિક પ્રકારે કહેતા આત્માની અવસ્થા સચોટ પ્રકાશી છે.
‘(આત્મા) શસ્ત્રથી ભેદાતો નથી, અગ્નિથી બળતો નથી, પાણીથી ભીંજાતો નથી કે વાયુથી સુકાતો નથી.’’
જીવમાત્રને સૌથી મોટો ભય મૃત્યુનો છે. મૃત્યુમાં નિમિત્ત કારણો અનેક છે. રોગ, જરા, અકસ્માત, અગ્નિ, પાણી, વાયુ, અસ્ત્ર-શસ્ત્ર વગેરે કારણો સૌનાં લક્ષમાં છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ તો તે બધાનો નકાર કરે છે. તો પછી સાચુ કારણ શું છે ? તે વિચારવું ઘટે છે.
જરા સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો, અનેક નહીં પણ એક જ કારણ મૃત્યુનું છે અને તે છે જન્મ. જે જન્મે છે તે જરૂ૨ મરે છે, તો હવે જન્મનું કારણ વિચારવું પડે. જન્મનું કારણ જીવાત્માનું કર્મ છે, જો કર્મ ન હોય તો દેહનો
ØKGKC પ્રશાબીજ * 92 parava