Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 304
________________ હાથમાં શ્રીમદ્દની ‘જીવનસિદ્ધિ ગ્રંથ આવ્યો તે સમયે અંતરાય પૂરો થયો. તેમનાં વચનો સમજવાનો પ્રયાસ શરૂ થયો તે આજ સુધી ચાલે છે. અગાધ સમુદ્રને તરવાનું સાહસ તો કર્યું પણ સાધનમાં તો કાગળની નાવ જેવો ઉપયોગ વર્તે છે કે કેમ કરી સાગર પાર થશે ? પણ આજ સુધી તો એ નાવ ડુબી નથી તેથી પૂર્ણ શ્રદ્ધા થઈ આવી છે કે એ પ્રભુજ મારું કામ પાર પાડશે. શ્રીમદ્જીનાં સમાધિ મંદીરે દર્શન કરવા જવાનું થાય ત્યારે તેમનાં બોધેલા છેલ્લા વચન ઉપર લક્ષ સ્થિર થાય છે. “હું, મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું આત્મસ્વરૂપમાં લીન થાઉં છું સ્વરૂપમાં લીન થાઉં છું લીન થાઉં છું લીન છું " " "0 0 0 0 છેવટે કેવળ શુન્યાભાસ થઈ આવે છે. આ અનહદની હદ ક્યાંથી જોવા મળે ? કોણ માપી શકે ? 88 ધ્વનિમાં સવપણ હો. Lalala veleslax 304 Balance

Loading...

Page Navigation
1 ... 302 303 304