________________
બોધપાઠ-૪૩
0
સગુરુ
છે)
9099 9999999 0 0 0 0 0 0
0
સર્વકાળમાં ધર્મનાં આરાધનાનાં ક્ષેત્રમાં ગુરુ-શિષ્ય પરંપરા લગભગ દરેક ધર્મમત-સંપ્રદાયમાં જોવામાં આવે છે. સાધનામાં સારીપેઠે આગળ વધેલા, તપમાં ઉગ્ર તપ કરતા, શાસ્ત્રાર્થ કરવામાં નિપુણ, વાકચાતુર્યથી ભરપૂર અને તર્કથી લોકોને આંજી દેવામાં સમર્થ ગુરુઓ ઠેરઠેર જોવા મળે છે, પરંતુ તે બધાં લક્ષણો માત્ર સદ્ગુરુની સાચી ઓળખ નથી. સદ્દગુરુની સાચી ઓળખ પૂ. શ્રીમદ્જીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં ૧૦મી ગાથામાં યથાર્થ સમજાવી છે :
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ;
અપૂર્વ વાણી, પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” સદ્દગુરુ સ્વયં આત્મજ્ઞાની, આત્મઅનુભવી હોય, પ્રત્યેક જીવ પ્રત્યે સમભાવ રહેતો હોય, કોઈ મિત્ર-શત્રનો ભેદ ન હોય, અનુયાયી, શિષ્ય કે ભક્ત પ્રત્યે રાગ ન હોય (વાત્સલ્ય હોય), ઇચ્છાપૂર્વક તેમની વિચરણા ન હોય પરંતુ પ્રારબ્ધવશ વિચરતા હોય, પૂર્વકર્મનો ઉદય શાતારૂપ હોય તો
ની&િઇટને પ્રશાબીજ •15 base