Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 30
________________ એ પછી સૌથી છેલ્લે નિર્યુક્તિગાથામાં આ પદાર્થ દર્શાવ્યો છે કે ‘વિષમ પરિસ્થિતિમાં સંયમી આધાકર્માદિ દોષોને પણ સેવે, તો પણ એને કોઇ જ પાપ ન બંધાય. ઉલ્ટું પાપકર્મોની નિર્જરા જ થાય.' શાસ્ત્રમાં જણાવેલી અપવાદમાર્ગની વિધિને પાળનાર, યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર, અધ્યવસાયોની પવિત્રતાવાળા સંયમી દ્વારા જે કોઇપણ જીવહિંસાદિ વિરાધના થાય, એ એને નિર્જરા જ આપે છે. જે દોષો નરકાદિમાં લઇ જનારા છે, એ જ દોષો સંયમી જો પવિત્રભાવવાળો હોય, તો કર્મનિર્જરા કરાવનારા બને. આસક્તિથી આધાકર્મી પૌષ્ટિક દ્રવ્ય કરાવીને વાપરે, તો પાપ ! પણ એ સંયમી માંદગી દૂર કરીને સારા-સાજા થઇને જોરદાર આરાધના કરવા માટે, નિર્દોષ (પૌષ્ટિક દ્રવ્ય) તપાસ ક૨વા છતાં પણ ન મળવાના કા૨ણે છેવટે દોષિત પૌષ્ટિક દ્રવ્ય કરાવે...તો અધ્યવસાય નિર્મળ હોવાથી એને નિર્જરા જ થાય. (૯) શ્રી દસવૈકાલિકસૂત્રમાં નિર્યુક્તિમાં ચાર પ્રકારની હિંસા બતાવેલી છે. દ્રવ્યથી હિંસા છે + ભાવથી નથી. ભાવથી હિંસા છે + દ્રવ્યથી નથી. દ્રવ્યથી હિંસા છે + ભાવથી છે. દ્રવ્યથી હિંસા નથી + ભાવથી નથી. આ ચાર ભાંગા છે. સંયમીને કોઇ ધક્કો મારીને કાચા પાણીમાં પાડી દે, તો સંયમીના શરીર દ્વારા પાણીના જીવોની હિંસા થાય છે, પરંતુ સંયમીને તો જીવોને મારવાનો કે પ્રમાદનો કોઇ જ ભાવ નથી. એ તો પશ્ચાત્તાપ કરે છે. (અર્ણિકાપુત્ર આચાર્ય...) આમાં પહેલો ભાંગો લાગે. ખાવાની વસ્તુ ખરેખર અચિત્ત હોય, છતાં કોઇકના ખોટા કથનના કારણે સંયમી એને ચિત્ત તરીકે જાણે, અને તો'ય આસક્તિ-નિષ્ઠુરતાથી પ્રેરાઇને વાપરે...તો એમાં ખરેખર કોઇ જીવ મરતો નથી, છતાં સંયમીનો ભાવ તો જીવહિંસાનો છે જ...એટલે અહીં બીજો ભાંગો લાગે. કસાઇ વગેરેને ત્રીજો ભાંગો છે. અજબ જીવનની ગજબ કહાની ૧૫

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126