Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 60
________________ દસવિધ શ્રમણધર્મ) ધર્મ એટલે સ્વભાવ ! અગ્નિનો સ્વભાવ છે બાળવાનો ! બરફનો સ્વભાવ છે ઠંડકનો ! પ્રત્યેક આત્માનો મૂળ સ્વભાવ છે ક્ષમા-સરળતા વગેરે ! પણ કર્મોના કારણે ક્ષમાના સ્થાને ક્રોધ, સરળતાના સ્થાને કપટ..વગેરે ગોઠવાઈ ગયા છે. જેમ ઠંડુ પાણી પણ અગ્નિના કારણે ગરમ બની જાય તેમ ! અગ્નિ દૂર કરો, તો પાણી ધીમે ધીમે પાછું ઠંડુ થાય. એમ, કર્મો દૂર કરો, તો ક્ષમાદિ ગુણો ધીમે ધીમે પ્રગટ થાય. સંયમી સંયમજીવનમાં આ જ કામ કરે છે, કર્મોને દૂર હટાવીને સ્વભાવને પ્રગટ કરવાનું ! સંયમીએ ઘણા કર્મો હટાવીને થોડો-ઘણો સ્વભાવ તો પ્રગટ કરી જ લીધો છે, એને-થોડાઘણા સ્વભાવને જ ક્ષાયોપથમિક સ્વભાવ કહે છે. જ્યારે સંપૂર્ણ ક્ષમાદિ ગુણો સિદ્ધ થાય, ત્યારે એ ક્ષાયિક સ્વભાવ પ્રગટ થયેલો કહેવાય. સંયમી પાસે ક્ષાયોપથમિક સ્વભાવ ધીમે ધીમે વધતો જ જવો જોઇએ, એ માટે એણે સખત પુરુષાર્થ સતત ચાલુ જ રાખવાનો. એમાં ઢીલાશ કરવાની નહિ. આ પ્રકરણમાં આપણે એ ક્ષમાદિ દસ ધર્મોનું સ્વરૂપ જોવાનું છે, પણ એ વિવેચનરૂપે નહિ, ગુજરાતી ભાષામાં બનાવેલી ૧૦૮ અત્યંત સુંદર મજાની કડીઓ રૂપે ! એકદમ સાદા શબ્દોમાં આ રચના હોવાથી વિવેચન વિના પણ એનો ભાવાર્થ સમજાઇ જશે. (ધન તે મુનિવરા રે...) ધન તે મુનિવરા રે, જે જિન-આણા પાળે, રાગ-દ્વેષને દૂર કરીને, આતમશુદ્ધિ ભાળે. દુર્ગતિ પડતા રાખે મુનિને, દશ ક્ષાજ્યાદિક ધર્મો, શુભભાવથી પાળે તેના, દૂર ટળે સવિ કર્મો ધન તે..૨ અજબ જીવનની ગજબ કહાની —ન ૪૧ – ........... ધન ત... 1

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126