Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 88
________________ ટુંકમાં જેને તેવા પ્રકારના જિનકલ્પસાધ્ય કર્મરોગ હોય, તેના માટે, સાધ્વીગણ ન હોય, તો જિનકલ્પ સ્વીકારવામાં વધુ લાભ ! સાધ્વીગણ હોય, તો પણ અન્ય સાચવનાર મળી જાય, તો જિનકલ્પમાં જ વધુ લાભ સાધ્વીગણ હોય અન્ય સાચવનાર ન હોય, તો જિનકલ્પ સ્વીકારવામાં નુકસાન ! કારણ કે જિનકલ્પ અનુચિતપ્રવૃત્તિ બની રહે છે. એના કરતા એ વખતે સાધ્વીગણને સાચવવામાં જ વધુ લાભ ! પ્રશ્ન : તો એને જિનકલ્પ વિના પેલા કર્મો ક્ષય ન પામે, તો એ ભવમાં મોક્ષ નહિ ને ? ઉત્તર ઃ આના માટે નીચે મુજબ વિચારણા કરી શકાય. એ મુનિનો એ ભવમાં મોક્ષ ન થાય, એ કર્મોને પછીના ભવોમાં ભોગવીને કે પછી જિનકલ્પાદિની આરાધનાથી ખતમ કરીને મોક્ષ પામે. (આ ભવમાં જિનકલ્પ લે, તો ય એ કર્મો ન જ ખપે, કેમકે અનુચિત પ્રવૃત્તિ બની રહે છે.) જિનકલ્પ માટેની ભાવથી પૂરી તૈયારી કરી જ લીધી છે, માત્ર સાધ્વીગણ ખાતર અટકે છે. તો આ શ્રેષ્ઠ ઔચિત્યસેવન પેલા કર્મોને નબળા પાડી દે, એવું બની શકે. હા ! પુષ્ટ કારણ વિના જો એ જિનકલ્પ ન સ્વીકારે, તો તો એને એ કર્મો ખતમ ન જ થાય. 'સાત પ્રકારની એષણા • ખરડાયેલા હાથે ખરડાયેલા વાસણથી વહોરવું. • નહીં ખરડાયેલા હાથે નહીં ખરડાયેલા વાસણથી વહોરવું. • પોતાના માટે થાળી આદિમાં કાઢેલું જ વહોરવું. • વાલ-ચણા જેવા લુખા દ્રવ્યો જ વહોરવા. • પીરસવા માટે કમંડલ જેવામાં કાઢેલી ભિક્ષા જ લેવી. • પિરસવા માટે નીકળી ચૂકેલી વ્યક્તિએ હજી ભોજન કરનારને ન આપ્યું હોય, ચમચાથી પીરસવા લીધુ હોય તેવું ભોજન લેવું. વધેલું ફેંકી દેવાનું ભોજન જ લેવું. પાણી માટે પણ આ જ સાત પ્રકાર છે. અજબ જીવનની ગજબ કહાની1 ૬૯

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126