Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 117
________________ બધી જગ્યાએ ગોચરી જવાનું થતું. એમાં ખરાબ માણસો ક્યાંક કશુંક કરી બેસે તો ? તો મુશ્કેલીનો પાર નહિ. ત્રણ સાધ્વીજી એક સાથે હોય, તો એવી વિશિષ્ટ પદ્ધિતિથી ગોચરી વહોરે કે ઘસ્ની અંદર કે ઘરની બહાર ક્યાંય એકલા યુવાન સાધ્વીજી કોઇપણ અણગમતી બાબતનો ભોગ ન બને. સાધુમાં સંઘાટક = બે જણ. સાધ્વીજીમાં સંઘાટક = ત્રણ જણ. (૩) માસકલ્પઃ સાધુએ શેષકાળમાં ૧ સ્થાને ૧ માસ જ રોકાવું, વધુ નહિ. એ રીતે આઠ સ્થાનમાં આઠ માસ પસાર કરવા, એ એમનો માસકલ્પ આચાર ! સાધ્વીજીઓએ રોષકાળમાં ૧ સ્થાનમાં બે માસ રોકાવું, એ રીતે ચાર સ્થાનમાં આઠ માસ પસાર કરવા. આ જ એમનો માસકલ્પનો આચાર ! આવું શા માટે ? તેના કારણો. સાધ્વીજીઓને બ્રહ્મચર્ય સુરક્ષા માટે કેવા પ્રકારના ઉપાશ્રયસ્થાન જોઇએ, એ એકંદરે ઘણા દુર્લભ ! સાધુઓને ગમે તેવા સ્થાન ચાલી રહે, સાધ્વીજીઓને નહિ. એટલે સ્થાન જ ઓછા હોવાથી એમને ૧ સ્થાનમાં બે માસની આજ્ઞા કરવામાં આવી. એક સ્થાનથી બીજા સ્થાનમાં જવાનું હોય, તો સાધ્વીઓને વિહારનો પણ મોટો પ્રશ્ન ! રસ્તામાં બ્રહ્મચર્યની સુરક્ષા બાધિત થાય..એટલે એમને માટે તો વિહાર ઓછા હોય, એ જ સરસ ! એ માટે એમનો માસકલ્પ બે માસનો ગોઠવાયો છે. જેથી ચાર જ વાર વિહાર કરવાનો આવે, એટલે ૫૦% જોખમ તો એની મેળે જ ઘટી જાય. (૪) સ્પંડિલભૂમિઃ સાધુ માટે અનાપાત-અસંલોક સ્થાનમાં વડીનીતિલઘુનીતિ જવાનું વિધાન છે. અનાપાત = જ્યાં કોઇ નજીકમાં અચાનક આવી ન ચડે, અસંલોક = જ્યાં કોઈ જોતું ન હોય.. હવે આવું સ્થાન તો નિર્જન જ હોય. સાધ્વીજી જો આવી જગ્યાએ જતા હોય, તો કોઇક વિકારી પુરૂષ નિર્જનતાનો લાભ લઇને ઉપદ્રવ કરી બેસે. એટલે સાધ્વીજીઓએ આપાત + જ ન ૯૮ – જૈન સાધુ જીવન...

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126