Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 37
________________ :: : :: : :: : આચારપ્રધાન શ્રમણા જીવન સંઘજમણમાં ૨૦૦૦ માણસ બે કલાકમાં જ જમી લે, પણ એ માટેની પૂર્વેની મહેનત તો કદાચ બે મહિનાની હોય. ક્રિકેટમાં વિજય તો છેલ્લા બોલે એક-બે રન કરવાથી જ મળે, પણ એના માટેની મહેનત તો છેક પચાસ ઓવરની હોય. છ'રી પાલિત સંઘમાં શિખરજીની યાત્રા કરવા જતા હોય, એ બધા શિખરજી તો છેક છેલ્લે બે-ત્રણ દિવસ જ આરાધના કરે..પણ એ માટેની મહેનત ૬ મહિના રોજેરોજ ચાલવાની, ઠંડી-ગરમી સહન કરવાની, એકાસણાદિ કરવાની હોય. દીકરાને M.D. ડૉક્ટર બનાવવો હોય, તો મા-બાપ એની મહેનત એને પાંચેક વર્ષની ઉંમરથી સ્કુલમાં દાખલ કરે, ત્યારથી કરવા માંડે. એ માટે સંપત્તિ જમા કરવાનું કામ પણ ત્યારથી જ થવા માંડે. કોઇપણ બાબતમાં સફળતા તો છેલ્લે જ હોય ને ? અને એનો સમય પણ લગભગ ઓછો જ હોય ને ? પણ એ માટેની મહેનત વર્ષોના વર્ષો સુધીની હોય..એવું પણ બને. ભારતને આઝાદી મળી, ઇ.સ. ૧૯૪૭માં..પણ એની મહેનત શરૂ થઇ ગયેલી ઇ.સ. ૧૮૫૭માં...છેક ૯૦ વર્ષ પૂર્વે ! હવે પ્રસ્તુતમાં વિચારીએ... શ્રમણજીવનનું એકમાત્ર લક્ષ્ય તો મોક્ષ જ છે. એની પ્રાપ્તિ કદાચ ઘણા બધા ભવો પછી પણ થાય, અરે ! આ જ ભવમાં જેને થવાની હોય, એણે પણ એ માટેની સખત મહેનત તો કરવી જ પડે. એ મહેનત એટલે જ આચારોનું દ્રઢકોટિનું પાલન ! આપણે હવે પછીના પ્રકરણોમાં એ અનેકાનેક આચારોનું ટુંકમાં સ્વરૂપ જોશું, આ પ્રકરણમાં સામાન્યથી એ આચારોનું માત્ર એક લિસ્ટ જોઇ લઇએ. ૧) પાંચ મહાવ્રતો + પચ્ચીસ ભાવના. ૨) પાંચ સમિતિ + ત્રણગુપ્તિ = અષ્ટપ્રવચનમાતા. ૩) સત્ય, ક્ષમા વગેરે દસવિધ શ્રમણ ધર્મ. ૪) ઇચ્છા-મિચ્છાદિક દસવિધ ચક્રવાલ સામાચારી. ૫) વિર કલ્પ. જૈન સાધુ જીવન.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126