Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 109
________________ પ્રશ્ન : બધા એવા જ હોય ? ઉત્તર : ના, આ નિરૂપણ મોટા-ભાગની અપેક્ષાએ છે. પ્રશ્ન : તો પછી ચરમતીર્થંકરના સંયમીઓનો તો મોક્ષ ન જ થાય ને ? એ તો વક + જડ છે. ઉત્તર ઃ થાય, પણ એમણે પોતાની વક્રતા + જડતા દૂર કરવા માટેનો સખત પ્રયત્ન કરવો પડે. મધ્યમ સંયમીઓને મોક્ષ માટે વધુ મહેનત ન ક૨વી પડે. પ્રશ્ન : ભલે કાળભેદથી સંયમીઓમાં સ્વભાવભેદ હોય, પણ આ આચારભેદ કરવાથી શું ફાયદો ? ઉત્તર ઃ ઘણો જ ફાયદો ! મધ્યમસંયમીઓ સરળ + પ્રાજ્ઞ હોવાથી યોગ્ય નિર્ણય લઇ શકશે. એટલે કે ચોમાસામાં વિહાર કરવામાં નુકસાન લાગશે, તો અટકી જશે, અને ફાયદો દેખાશે, તો વિહા૨ ક૨શે. જ્યારે ચરમસંયમીઓ વક્ર + જડ છે. એટલે એક તો જડતાના કારણે નફો-નુકસાન જલ્દી સમજશે જ નહિ, અને ધારો કે સમજાશે, તો પણ વક્રતાના કારણે કંઇ ને કંઇ બહાના કાઢીને પોતાનું ધારેલું જ કરશે. એટલે એમના માટે આ દસેય બાબતો સ્થિતકલ્પ ક૨વામાં આવી કે દોષ લાગે કે ન લાગે, એમણે આ દસ આચારોનું પાલન કરવાનું. (હા ! વિશિષ્ટ કારણોસર એમાં પણ અપવાદ સેવન હોઇ શકે.) ८० Dreamstime. · જૈન સાધુ જીવન...

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126