Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 82
________________ સ્વાધ્યાયથી ભાવિત થાય. એકત્વઃ તમામ સંબંધોથી મમત્વરહિત થઇ એકલપણાથી ટેવાય. બલઃ શારીરિક-માનસિક રીતે બધા જ પ્રકારના ઉપસર્ગો-પરિષહોને સહન કરવાની શક્તિ કેળવે. આ રીતે તૈયાર થઇ, તીર્થંકર, ગણધર, ચૌદપૂર્વી, દશપૂર્વીક છેવટે વડ, પીપળો, અશોક આદિ વૃક્ષ નીચે મહોત્સવપૂર્વક જિનકલ્પ સ્વીકારે.... • એમની પાસે ઓઘો અને મુહપતી આ બે ઉપકરણ તો હોય જ.. • જો એ કપડો રાખે, તો એક, બે કે વધુમાં વધુ ત્રણ રાખે. એટલે ઓઘો, મુહપત્તી એમ બે + ૧ = ૩, બે + ૨ કપડા = ૪, બે + ૩ કપડા = પાંચ..આમ ત્રણ રીતે સંભવ છે. - જો એ કપડા ન રાખે, પણ પાત્રો રાખે, તો પાત્રાની કુલ સાતેય ઉપધિ અવશ્ય રાખે છે. તો પછી મુખ્ય બે + સાત = નવ થાય. - જો એ નવ ઉપરાંત એક, બે કે ત્રણ કપડા રાખે, તો દસ | અગ્યાર | બાર..આમ ત્રણ રીતનો પણ સંભવ છે. • ટુંકમાં ૨, ૩, ૪, ૫, ૯, ૧૦, ૧૧, ૧૨..આટલા વિકલ્પો સંભવે. • એમનો વિહાર-ગોચરી-સ્થડિલ..દિવસના ત્રીજા પ્રહરમાં જ થાય. નગરના છ ભાગ કલ્પી વારાફરતી એક-એક ભાગમાં ગોચરી જાય. ત્રીજો પ્રહર પૂરો થાય, એટલે જિનકલ્પી જ્યાં હોય ત્યાં જ વૃક્ષની માફક એકદમ સ્થિર બની જાય. નદીની વચ્ચે હોય કે ચાર રસ્તા વચ્ચે હોય.કોઇ એમને ધક્કો મારે, ઉપાડીને નાંખી દે...વગેરે બને, તોય એ પોતાના યત્નથી તો બિલકુલ હલન-ચલન ન જ કરે. જિનકલ્પીને દેવ-મનુષ્ય-તિર્યંચાદિના ઉપસર્ગો આવે, પણ એ સમ્યક્ પ્રકારે સહન કરે જ..એમાં પોતાના આચારમાં કોઇપણ છૂટ ન લે. અતિ ચુસ્ત જીવન જીવે. • આ કલ્પ આખી જીંદગી માટેનો હોય છે. (૨) પરિહારવિશુદ્ધિ કલ્પઃ ગચ્છના પરિહાર વડે ત્યાગ વડે વિશુદ્ધિની પ્રાપ્તિ જેમાં થાય છે, તે આચાર ! અજબ જીવનની ગજબ કહાની ૬૩]–

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126