________________
૬૧
––
–
––––
––
–
––
––––
–––
–
––
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
––– ––––– ૨૩. રાધયન્તિ જિનાજ્ઞા યુવતમ્ - ૨૯. શ્રી જિનાજ્ઞારૂપી યુવતીને આરાધે છે. ३०. प्रतिसेवन्ते द्विविधशिक्षाललनाम् -
૩૦. ગ્રહણ અને આસેવન રૂપ જે બે શિક્ષાઓ, તે રૂપ, બે લલનાઓને સેવે છે.
આવી રીતે ધર્માત્મામાં રાગાદિ પણ સગુણ બને છે. તમે જોઇ શકશો કે-શ્રી વીતરાગ પરમાત્માના સાધુમાં પણ જેને આજે દોષ રૂપ અજ્ઞાન દુનિઓ કહે છે તે આ રીતે હોય છે. આત્મનાશક દોષો અને ભવભ્રમણ ટાળવા માટે આ વસ્તુ જરૂરી છે. હા, સંપૂર્ણ વીતરાગ થઇ ગયા બાદ આવી દશા નથી રહેતી. પણ તે પહેલાં હોય તે નિદાપાત્ર નહિ પણ પ્રશંસાપાત્ર છે. શુક્લ પાક્ષિક શ્રાવકનું સ્વરૂપ
પૂજ્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રાવકધર્મનું નિરૂપણ કરતાં જણાવે છે કે
___ “परलोयहितं सम्म सो जिणवयणं सुणेइ उवउत्तो ।
अइ तिव्य कम्म विगमा
मुक्को सो सावगो एत्थ ||" જે કોઇ આત્મા ઉપયોગવાળો થઇને પરલોકમાં હિતને કરવાવાળાં જિનવચનોને શઠતાનો ત્યાગ કરવા પૂર્વક અતિ તીવ્ર કર્મના નાશથી સાંભળે છે, તે આત્મા ઉત્કૃષ્ટ વા શુક્લપાક્ષિક શ્રાવક કહેવાય છે.
ઉપર લખેલ મૂળ શ્લોકની ટીકા કરતાં ટીકાકાર મહર્ષિ જણાવે છે કે જે કોઇ આત્મા જિનવચનને સાંભળે છે તે શ્રાવક બની શકે છે. આથી ચોખ્ખું જ છે કે-કોઇ આત્મા શ્રાવક કુળમાં ઉત્પન્ન થયો હોય છતાં જો જિનેશ્વરદેવનાં વચનોને ભાવપૂર્વક ના