________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
પણ પછી એને ન ખમાવતાં ગાંઠ વાળે ક્રોધ પર વ્યાજબી હોવાનો સિક્કો મારે, તો ક્રોધની પરંપરા ચાલે. એ અસમાધિ સ્થાન છે. આ ૨૦ અસમાધિસ્થાનો સૂચવે છે કે તે તે બાબત ચિત્તમાં અસમાધિને પોષનારી છે. માટે એ વીસેય બાબત જ અટકાવી દેવી; કેમકે આખીય જીવનભરની ધર્મસાધનાઓનો, સાર ચિત્તની સમાધિમાં લાવવાનો છે, તે અસમાધિનાં સ્થળ સેવીએ તો સમાધિ ક્યાંથી આવે, રહે કે ટકે ? તપ વગેરે ઘણી આરાધનાઓ કરનારાની પણ અસમાધિથી ગતિ બગડી ગઇ છે. અસમાધિથી આત્મામાં સંસ્કરણ બગડે છે, અને ચાલુ અસમાધિ રહેવાથી શલ્યના પણ ભોગ બનવું પડે છે, કેટલાક સ્થાનોમાં વૈરાદિના અનુબંધ પડે છે. વગેરે મહા અનર્થ સમજી અસમાધિ સ્થાનોનો ત્યાગ કરી દેવો.
મુનિ ક્ષમાશ્રમણ ડેમ ? -૧૦ તિધ
મુનિનું નામ ક્ષમાશ્રમણ કેમ ? તપઃશ્રમણ વગેરે કેમ નહિ ? એનો ઉત્તર એ છે કે ૧૦ પ્રકારના મુનિધર્મમાં ક્ષમાગુણને પહેલો મૂક્યો છે, માટે જ મુનિને ક્ષમાશ્રમણ કહેવાય છે. ક્ષમાયુક્ત શ્રમણ, ક્ષમાપ્રધાન શ્રમણ, અથવા ક્ષમાથી શ્રમે-આત્માને કસે તે ક્ષમાશ્રમણ. અહીં પ્રશ્ન થાય છે કે શું ક્ષમા સિવાય બીજા ગુણો શ્રમણમાં નથી ? છે જ, તો તે હિસાબે મૃદુશ્રમણ તપઃશ્રમણ, બ્રહ્મચર્યશ્રમણ એવું કોઇ નામ ન કહેતાં ક્ષમાશ્રમણ કેમ કહ્યું ?
સમા
૧
૨૫૭
-
આનો ઉત્તર જ એ છે કે બધા ગુણોમાં ક્ષમાનો પ્રથમ નંબર છે. કારણ એ છે કે ક્ષમાથી ઉપશમ આવે છે, અને