Book Title: Chaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 363
________________ – – – ––– – ––––––– – – – ૩૫૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ – ––– ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. (૩) ફ્રિી વેદન-અધ્ધા : જે ફ્રિીઓ બનાવેલી છે એના હજારોવાર અનંતા અનંતા ટુકડા કરીને વેદે છે અનુભવે છે અને દશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે ઉપશમાવે છે. આ ઉપશમ થતો હોય ત્યારે ઘાતી કર્મનો બંધ એટલે જ્ઞાનદર્શન અંતરાય કર્મનો બંધ ૧ અંતર્મુહૂર્તનો થાય છે. વેદનીય કર્મનો ૨૪ મુહૂર્તનો થાય છે. નામ તથા ગોત્ર કર્મનો ૧૬ મૂહૂર્તનો થાય છે. ત્યાર પછી જીવ ૧૧માં ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. અહિં મોહનીયકર્મની બધી પ્રવૃતિઓ શાંત થાય છે. જેના કારણે સંક્રમણ ઉદ્વર્તના, અપવર્તના, ઉદીરણા, નિદ્વત, નિકાચના તથા ઉદયપ્રવર્તના નથી પણ ક્ત દર્શનત્રીકમાં મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનું સંક્રમણ અને અપવર્તના ચાલુ હોય છે. જો કાળ ન કરે તો ૧૧મું ગુણસ્થાનક પૂર્ણ થયે જે ક્રમથી જીવ ચડ્યો છે તેજ ક્રમથી નિયમાં પાછો ફ્રે છે એ પડતાં પડતાં છટ્ટ-પમે-૪થે ગુણસ્થાનકે પણ અટકી શકે છે અને જો કદાચ ન અટકે તો પડતો પડતો રજે ગુણસ્થાનકે જઇને નિયમાં પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. કોઇક જીવ ૭ લવ આયુષ્ય બાકી રહે ત્યારે અધૂરી શ્રેણીએ પાછો ફ્રી ક્રમસર પડતો ઉમે આવી ફ્રીથી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરીને મોહનીય કર્મનો સર્વથા નાશ કરી ૧૨માં ગુણસ્થાનને પ્રાપ્ત કરી ૭ લવ આયુષ્યના કારણે ૧૩મા ગુણસ્થાનકે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને અંતગડકેવળી થઇને મોક્ષે જઇ શકે છે. ' ઉપશમ શ્રેણીમાં ઉત્કૃષ્ટ ૧ સમયે ૫૪ જીવો પ્રવેશ કરી શકે છે. ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટથી સપૃથકત્વ (૨૦૦ થી ૯૦૦) જીવો હોય છે અને જઘન્યથી કોઇ વખતે એક પણ ન હોય

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412