________________
--
-
-
-
--
-
-
-
-
-
-
-
---
ચૌદ ગુણસ્થાળક ભાગ-૩
૩૬૧ - - - - અનુભવે છે.”
મુમુક્ષ અંજલિ જેડી બોલ્યો- “ભગવદ્ એ શુક્લ ધ્યાનના બીજા પાયાનું સ્વરૂપ સમજાવવાની કૃપા કરો.” આનંદ મુનિ આનંદપૂર્વક બોલ્યા- “વત્સ, એ ધ્યાનમાં તત્ત્વજ્ઞાતા અપૃથકૃત્વ જ્ઞાનને-એકત્વને ધારણ કરે છે. કેવળ જે વિશુદ્ધ પરમાત્મ દ્રવ્ય છે, તેજ અથવા તેજ પરમાત્મા દ્રવ્યનો કેવળ એક પર્યાય અથવા કેવળ એક ગુણ છે. એ અપૃથફત્વ -એકત્ર કહેવાય છે. એવી રીતે એક દ્રવ્ય એક ગુણ, એક પર્યાય નિશ્ચલ-ચલન રહિત છે. એમ જ્યાં એકૃત્વનું ધ્યાન કરવામાં આવે છે, તે અપૃથક્ત કહેવાય
જે અવિચાર છે એટલે જેમાં (પૂવોક્ત સ્વરૂપોમાં) શબ્દાર્થચોગ રૂપોમાં પરાવર્ત વિવર્જિત એટલે શબ્દથી શબ્દાંતર અને અર્થથી અર્થાતર ઇત્યાદિ ક્રમથી રહિત એવું માત્ર શ્રતને અનુસારે જ ચિંતન કરવામાં આવે છે, તેથી તે અવિચાર છે. આ કાલમાં શુક્લ ધ્યાનના જેઓ જ્ઞાતા છે, તેઓ પૂર્વ મુનિ પ્રણીત શાસ્ત્ર આમ્નાય વિશેષથી છે; પરંતુ આ કાલમાં શુક્લ ધ્યાનના કોઇ અનુભવી નથી. જે ધ્યાન સવિતર્ક ગુણ સંયુક્ત છે, એટલે જે ધ્યાન માત્ર ભાવ વ્યુતના આલંબનથી થાય છે. સૂક્ષ્મ અંતર્જા ભાવગત અવલંબન માત્રથી ચિંતવન થાય છે, તેથી તે સવિતર્ક ગુણ સંયુક્ત છે.
આ પ્રમાણે શુક્લ ધ્યાનના બીજા પાયાનું અવલંબન કરી ક્ષીણમોહી મહાત્મા આ ગુણસ્થાન પર વર્તે છે અને તે સર્વદા શુદ્ધ પરિણતિના પ્રકાશથી પ્રકાશિત થાય છે.
વત્સ, આ સોપાન ઉપર પુનઃ દ્રષ્ટિ કર. તેના શિખર ઉપર અમૃતની ધારાનો દેખાવ છે. તેની નીચે એક અગ્નિની જ્વાલાનો દેખાવ છે, તેની અંદર ચૌદ ઇંધણાઓ બળતા દેખાય છે. તેની