________________
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
૩૫૮
ચૌદ વણસ્થાનક ભાગ-૩ — ' ઉપશમ શ્રેણીમાં નીચેના ક્રમ મુજબ મોહનીય કર્મની પ્રકૃતિઓની ઉપશમના કરે છે. (૧) અનંતાનુબંધી ૪ કષાય (૨) ત્રણ દર્શન મોહનીય (૩) નપુંસકવેદ (૪) સ્ત્રીવેદ (૫) હાસ્યષક (૬) પુરૂષવેદ (૭) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય ક્રોધ (૮) સંજ્વલન ક્રોધ (૯) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માન (૧૦) સંજ્વલન માન (૧૧) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માયા (૧૨) સંજ્વલન માયા (૧૩) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય લોભ (૧૪) સંજ્વલન લોભ.
બારમું ક્ષીણમોહ ગુણસ્થાનક
આ ગુણસ્થાનકમાં દશમા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિવાળા જીવો મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરે એ જીવો આવે છે. આ ગુણસ્થાનક વિશ્રાંતિ રૂપે ગણાય છે.
દશમા ગુણસ્થાનકમાં સંજ્વલન લોભનો ક્ષય કરતાં જેટલો થાક લાગ્યો હતો તે થાક ઉતારવા માટે વિશ્રાંતિ રૂપે આ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિઓ દર્શનાવરણીય છ પ્રકૃતિઓ અને અંતરાયની પાંચ પ્રકૃતિઓ એટલે ત્રણ ઘાતી કર્મો એક સાથે નાશ પામે છે. કવિએ કલ્પના કરીને કહ્યું છે કે દેશમાં ગુણસ્થાનકમાં સંજ્વલન લોભનાં ટુકડા ટુકડા કરી કરીને નાશ કર્યો છે. તે જોઇને જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ આ ત્રણ ભેગા થઇને વિચાર કરે છે કે જો આપણે સાવધ રહીને તૈયાર ન રહીએ તો આપણને પણ આ રીતે ટુકડા ટુકડા કરીને મારશે માટે જો માર ન ખાવો હોય તો આપણા બીસ્ટા પોટલા બાંધીને તૈયાર રહો એમ વિચારણા કરીને તૈયાર થઇને બેઠલા હોય છે. જેવો જીવ ગુણસ્થાનકમાં