________________
ચૌદ
સ્થાનિક ભાગ-૩
૧૮૩
બન્યા છે, તેઓએ અનંત ઉપકારિઓએ ક્રમાવેલી આ ભાવનાનો ખૂબ શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. રસમય ભોજન અને તે પણ આકંઠ એટલે ગળા સુધીનું, એ વ્રતના ખપી માટે એકાંતે અહિતકર છે. આવી આવી વાતો સાંભળવી, એ પણ આજના રસલમ્પટોને પાલવતી નથી. રસલપટો આ ભાવનાથી વંચિત જ રહેલા છે. એવાઓ તો આ ભાવનાના બતાવનાર ઉપર પણ રોષે ન ભરાય તો સારું. કારણે પણ પરિમિત વિગઇઓની અનુજ્ઞા આપનાર શાસ્ત્રને માનનારાઓ પણ, જો નિરંતર વિના કારણે એક દિવસમાં પણ અનેકવાર અપરિમિતપણે વિગઇઓના ઉપભોગમાં પડી ગયેલાઓ બને, તો તેનું પરિણામ એ જ આવે કેતેઓ અજીર્ણ આદિ વિકારોથી નિરંતર રીબાતા હોય અને ભયંકરમુવિકલ્પોમાં સડતા હોય તથા છેવટે તેઓ પતનદશાના ભાજન પણ થતા હોય, તો એમાંય આશ્ચર્ય જેવું શું છે? સમુદાયમાં વિગઇઓની રેલમછેલ થવા દેતા ગણનાયકોએ પણ જાગૃત થવાની. જરૂર છે. ત્રિકાલ દૂધપાન અને નિરંતર રસમય આહારોનાં ભોજન, એ તો સાધુપણાના કારમા શત્રુઓ છે. આ વાત સમજાશે ત્યારે જ આ ભાવનાનું માહાસ્ય સમજાશે. કલ્યાણકામી આત્માઓએ આ વસ્તુ સમજી, આ ભાવનાનો જીવનમાં અમલ કરવો, એ અતિશય આવશ્યક છે. સંયમના રસિયા ગણાતા રસોના રસિયા બને અને અતિભોજનમાં આનંદ માને, તો સંયમનો રસ ભાગે એમાં નવાઇ શી છે ? એ વસ્તુ તો સંયમનો દુકાળ સૂચવવાનારી છે. માટે સંયમના અર્થિઓએ આ દોષને પણ અવશ્ય ટાળવો જોઇએ. બોધિનેય દુર્લભ બનાવે -
ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઓમાં નવ બ્રહ્મચર્યની ગુતિઓનો સંગ્રહ થયેલો છે. બ્રહ્મચર્યની નવે ગુપ્તિઓના પાલનના