________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૨૫૧
. .
.
અસૂયાનો અચિંતન ભાવના
ત્યાગ પાપવિમરો :
અહીં યોગ્યતાને લોકોત્તર ભાવો ઔદાર્યાદિના આસ્વાદરૂપ કહીને વિષયાભિલાષથી વિમુખતા કરાવનારી કહી; એથી ધર્મઆરોગ્ય અને પાપવિકાર શમનનો નિર્દેશ કર્યો.
શ્રી ષોડકશાસ્ત્રમાં પણ એક વાત કહી છે. જેમ આરોગ્ય પ્રાપ્ત થતાં વ્યાધિવિકારો હવે પ્રવર્યા રહેતા નથી, એવી રીતે ધર્મઆરોગ્ય પ્રાપ્ત થતાં પાપ-વિકારો હવે પ્રવર્તતા નથી. (લોકોત્તર ભાવો ઔદાર્યાદિઓ ધર્મ-આરોગ્યની અવસ્થા છે એ પ્રાપ્ત થતાં) અતિ વિષયતૃષ્ણા, દ્રષ્ટિસંમોહ, ધર્મપથ્યમાં અરુચિ અને ક્રોધની ખણજરૂપી પાપવિકારો શાંત થઇ જાય છે.
પાપવિકારો : વિષયતૃષ્ણા-દ્રષ્ટિસંમોહ-ધર્મપષ્યની અરુચિક્રોધખણજ :
(૧) અતિવિષયતૃષ્ણા - એ આત્માનો એક એવો પાપી વિકાર છે કે જેથી જીવ ગમ્ય-અગમ્ય, ભોગ્ય-અભોગ્ય, વિષયનો વિવેક ભૂલીને શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શને વિષે બધે જ અત્યંત અણધરાએલો રહે છે.
(ર) દ્રષ્ટિસંમોહ - એવો અધમ વિકાર છે કે જેથી ફળને આશ્રીને સમાન એવી પણ બે પ્રવૃત્તિમાં નામભેદે વીપરીત દ્રષ્ટિ રખાય છે, અને તે દ્રષ્ટિને પાછી આગમમાન્ય તરીકે સમજવામાં આવે છે. દા.ત. સ્વૈચ્છિક હિંસા અને યજ્ઞસંબંધી હિંસા, બંનેમાં
ળ સ્વયં માંસભક્ષણ સમાન છે. પરંતુ યજ્ઞીચહિંસાની પ્રવૃત્તિને વિધિપ્રવૃત્તિ તરીકે જુદા જુદા નામથી સંબોધી, એમાં નિષિદ્ધ એવી.