Book Title: Chaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 383
________________ 39૬ ચૌદ વરસ્થાન ભાગ-3 કરીને આ ચૌદમા અયોગી ગુણસ્થાન વર્તી એવા પરમેષ્ટી ભગવંતને તે વિષે કાંઇ પણ વિરોધ આવતો નથી. કારણ કે, પરમેષ્ટી ભગવંત નિજ શુદ્ધાત્મા ચિદ્રુપ તન્મયપણે ઉત્પન્ન થયેલ, નિર્ભર અને પરમાનંદરૂપ છે. વત્સ, આ સર્વોત્તમ ધ્યાનમાં નિશ્ચયનયથી આત્માજ ધ્યાતા છે, આત્માન કરણરૂપ છે, આત્મા જ કર્મ રૂપતાપન્ન એવા નિજ સ્વરૂપને ધ્યાય છે, તેનાથી બીજું ઉપચારરૂપ, અષ્ટાંગયોગ પ્રવૃત્તિ લક્ષણ ધ્યાન તે સર્વ વ્યવહારનયથી જાણવું. વત્સ, આ સોપાન ઉપર આવેલા મહાનુભાવના ઉપાંત્યા સમયમાં શું બને છે ? તે જાણવા જેવું છે. કેવલ ચિતૂપ, આત્મસ્વરૂપને ધારણ કરનાર યોગી અયોગી ગુણસ્થાનવર્તી સ્ટ પ્રગટ ઉપાંત્ય સમયમાં એકી સાથે (શીઘ્રયુગપત્ સમ કાળે) કર્મપ્રકૃતિનો ક્ષય કરે છે.” | મુમુક્ષ વચ્ચે પ્રશ્ન કર્યો - “ભગવન, ઉપાંત્ય સમય એ શું છે અને કર્મની બહોંતેર પ્રકૃતિ કઇ છે ? તે સમજાવો.” મહાનુભાવ આનંદસૂરિએ ઉત્તર આપ્યો - "ભદ્ર, બે ચરમ (છેલ્લા) સમયને ઉપાંત્ય સમય કહે છે. પાંચ શરીર, પાંચ બંધન, પાંચ સંઘાત, ત્રણ અંગોપાંગ, છ સંસ્થાન, પાંચ વર્ણ, પાંચ રસ, છ સંહનન, છ અસ્થિર, આઠ સ્પર્શ, બે ગંધ, નીચ ગોત્ર, ચાર અગુરુલઘુ, દેવગતિ, દેવાનુપૂર્વી, બે વિહાયોગતિ, ત્રણ પ્રત્યેક, સુસ્વર, અપયક્તિનામ, નિર્માણનામ અને બેમાંથી એક વેદનીય એ બોંતેર કર્મપ્રકૃતિઓ કહેવાય છે. તે બોંતેર કર્મપ્રકૃતિ મુક્તિ નગરીના દ્વારની અર્ગલા રૂપ છે, તે કર્મ પ્રકૃતિને આ સોપાન ઉપર આવેલો આત્મા ઉપાત્ય સમયમાં ક્ષય કરે છે.” | મુમુક્ષુ બોલ્યો- “ભગવદ્, હવે એ વાત મારા સમજવામાં આવી છે, આ સોપાનને માટે જે વિશેષ જાણવાનું હોય તે કરૂણા કરી સમજાવો.”

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412