________________
૭૨
ચૌદ સ્થાનક મા-૩ મમતા-રાક્ષસીના અકાટ્યને કાતીલ ફંદામાંથી સરકી જાય, વાસનાની લોલુપતા પરિહરી દે તથા માનસ નિર્વિકારિ બનાવે.
જો નિર્મલ હૃદયમાં મોહનું જોર ઘટ્યું અને ધર્મે નિવાસ કર્યો, તો માનવજીવન એક આદર્શભૂત દિવ્ય જીવન રૂપ બન્યા વિના ન જ રહે.
એ ધર્મ એટલે સ્વહિતચિન્તન અને સ્વકલ્યાણકરણ તથા સાથે જ પર અશુભઅચિન્તન અને પરહિતકરણ. શ્રી વીતરાગદેવનો ધર્મ કહો કિંવા દુર્ગતિપતનથી ધારણ અને સુગતિસ્થાપન રૂપ ધર્મ કહો, તે આ જ છે.
અન્ય ધર્મો, કે જે નામતઃ ધર્મો છે કિન્તુ વાસ્તવ નથી, તે કરતાં જૈનધર્મની વિશિષ્ટતા કે શ્રેષ્ઠતા કોઇ પણ હોય, તો તે કેવલ આ એક જ છે કે-આત્મનિરીક્ષણ કરી એમાં જ રમણતા કરવી.
આ પ્રમાણે જો કરવામાં આવે, તો સ્વકીય શુભ ચિન્તન, હિતકરણ, પરકીય હિતકલ્પન અને કલ્યાણકરણ થયા વિના ન જ રહે. આ મુજબ જો બને તો દુર્ગતિપતનનો અવરોધ અને સુગતિસંપ્રાપ્તિ થયા વિના ન જ રહે.
| દુર્ગતિપતન અવરોધક અને સુગતિસંગાપક જે તત્વ હોય, તે જ તત્ત્વ ધર્મ રૂપ કહેવાય છે. જો ધર્મની આ વ્યાખ્યા માન્ય તથા પ્રામાણિક હોય, તો એના સાધક અન્ય પણ સાધનો ધર્મ રૂપ જ છે તથા એ સાધનોનાય સાધક સાધનો પણ ધર્મ રૂપ જ છે.
એટલે કે-જે સાધનોના આશ્રયથી મૌલિક ધર્મના સાધનો સંચિત થાય છે અને મૌલિક ધર્મસાધક સાધનો જે છે તે પણ ધર્મ રૂપ જ છે. એ સાધનોમાં જે મહોપકારિઓએ એ સાધનોનું પરિપૂર્ણ યથાઈ આલંબન લઇ ધર્મને સિદ્ધ કર્યો અને તેનું પ્રદર્શન કર્યું, તે ભગવંતોનાં સેવન-પૂજન આદિનું તથા સામાયિક કિંવા.